NCP નેતા નવાબ મલિકની ધરપકડથી ભડકેલી શિવસેનાએ કેન્દ્રીય એજન્સીઓની સરખામણી નાઝી આર્મી સાથે કરી હતી. શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા.
એનસીપીના નેતા પર ઈડીની મોટી કાર્યવાહી
સામનામાં કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
કેન્દ્રીય એજન્સીઓની નાઝી સાથે કરી તુલના
NCP નેતા નવાબ મલિકની ધરપકડથી ભડકેલી શિવસેનાએ કેન્દ્રીય એજન્સીઓની સરખામણી નાઝી આર્મી સાથે કરી હતી. શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્રની સત્તામાં ભાગીદાર એવા એનસીપી નેતા પર એક્શનને લઈને શિવસેનાએ અખબારમાં લખ્યું છે કે, 2024માં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને તેમની નાઝી સેના પાછી સત્તામાં આવવી જોઈએ ન હીં. સંપાદકીય લેખમાં લખ્યું છે કે, નવાબ મલિક સતત કેન્દ્રીય એજન્સીઓ અને ભાજપ પર આકરાં પ્રહારો કરી રહ્યા હતા. એટલા માટે તેમને ફસાવવા માટે આ કામ કરવામાં આવ્યું છે.
સામનામાં કર્યા આકરાં પ્રહાર
એટલું જ નહીં ભાજપ પર આકરાં કટાક્ષ કરતા શિવસેનાએ કહ્યું કે, આ ભગવાનની ઈચ્છા છે કે, ભાજપને સત્તામાં ન આવવું જોઈએ. 2024માં ભગવાન રામની ઈચ્છા હશે કે, મોદી, શાહ અને તેમની નાઝી સેના પાછી સત્તામાં ન આવે. એક કેબિનેટ મિનિસ્ટરને ફસાવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવો લોકતંત્રની હત્યા છે. શિવસેનાએ કહ્યું કે, નવાબ મલિકના ચહેરા પર મુસ્કાનની સાથે ઈડીની ઓફિસ બહાર નિકળ્યા અને સ્પષ્ટ કહ્યું કે, હું ઝૂકીશ નહીં. અમે લડીશું અને જીત મેળવીશું. હિટલરની નાઝી સેનાની હાર નક્કી છે. શિવસેનાની આ ટિપ્પણીને લઈને હાલમાં ભાજપમાંથી કોઈ રિએક્શન આવ્યું નથી.
શિવસેનાના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી
છેલ્લા બે વર્ષોમાં મહારાષ્ટ્ર સરકારમાં શામેલ કેટલાય ધારાસભ્યો, મંત્રીઓ અને અન્ય નેતાઓને ઈડી, ઈડીની નોટિસ અને ઈન્કમ ટેક્સનો સામનો કરવો પડી રહ્યો છે. શિવસેના અને એનસીપીના કેટલાય નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓએ એક્શન લીધી છે. શિવસેનાએ સંપાદકીયમાં કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ ગુલામની માફક કામ કરી રહી છે અને તેમનો ઉપયોગ વિરોધી નેતાઓને ચૂપ કરવા માટે થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને તેમની ફેમિલી, ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર, સંજય રાઉત અને ફેમિલ ઉપરાંત અનિલ પરબ, અનિલ દેશમુખ અને અન્ય લોકોને બદનામ કરવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ ખોટા કેસ નોંધાવામાં આ્યા છે. ભાજપ તેનો જશ્ન મનાવી રહ્યું છે આખરે આ કેવા પ્રકારની રાજનીતિ છે.
કેન્દ્રીય એજન્સીઓ ગુલામની માફક કરી રહી છે કામ
શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહારો કરતા લખ્યું છે કે, આ આશ્ચર્યજનક છે કે, હાલના શાસકોના દિમાગમાં એ વાત નથી આવી રહી કે, જેવી રીતે નાઝી શૌતાન વધી રહ્યા છે, તેવી જ રીતે ખતમ પણ થઈ ગયા. કેન્દ્રીય એજન્સીઓ નાઝી સેનાઓની માફક કામ કરી રહી છે અને પોતાના રાજકીય આકાઓનો દરેક હુકમ માની રહી છે. આ તમામની વચ્ચે ગુરૂવારે આદિત્ય ઠાકરેએ પણ યુપીમાં એક ચૂંટણી રેલી દરમિયાન ભાજપ પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં હાલના સમયમાં દરેક રીતે ખોટી રાજનીતિ થઈ રહી છે. આપણે સાથે મળીને લડવું પડશે.