શનેશ્વરી અમાસના દિવસે શનિદેવના જન્મ સ્થાન હાથલામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટયા છે. પોરબંદરથી થોડા અંતરે આવેલા હાથલામાં શનિદેવનું જન્મ સ્થાન આવેલું છે.
આ વખતે ચૈત્રી અમાસ અને શનિવારનો અનોખો સંયોગ હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટયા હતા. પ્રથમ શનિ કુંડમાં સ્થાન કરી અને ત્યારબાદ શનિદેવને તેલ અડદ અને સિંદુર ચડાવી પુજા અર્ચના કરવામાં આવે છે. પોરબંદર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે.
ઉલ્લેખનીય છે કે શનિદેવના અન્ય મંદિરોની માફક પોરબંદર નજીક આવેલ હાથલાને શનિદેવનું જન્મ સ્થળ હોવાનું માનવામાં આવે છે.ઘણાં લાંબા સમય બાદ આજે અમાસ સાથે શનિવાર હોવાથી રાજ્યભરના શનિદેવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
રાજ્યભરમાંથી આવેલા શ્રધ્ધાળુઓએ શનિદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.આપને જણાવી દઇએ કે મહાદેવના પરમ ભક્ત સૂર્યપુત્ર શનિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં ભાણવડ પાસેના હાથલા ગામે વૈશાખ વદ અમાસના રોજ થયો હતો. આમ સૌરાષ્ટ્ર પર શનિદેવનો પ્રભાવ રહે છે.