god or goddess idols: ઘરમાં ભગવાનની પ્રતિમા રાખવાના પણ નિયમ હોય છે. એની અવગણના કરવા પર પૂજા-પાઠનો કોઈ ફાયદો નથી મળતો. ઘરના મંદિરમાં દેવી દેવતાઓને સ્થાન આપવા પહેલા જાણી લો કે શું કહે છે વાસ્તુશાસ્ત્ર.
ઘરના મંદિરમાં આ રીતે રાખો ભગવાનની પ્રતિમા
નહીં તો પૂજા-પાઠ કરવાનો નહીં મળે ફાયદો
જાણો શું છે તેના વાસ્તુ નિયમો
હિંદૂ ધર્મમાં મંદિર અને પૂજાનું મહત્વ ખૂબ વધારે છે. કદાચ જ કોઈ એવો મનુષ્ય હશે જેમની આસ્થા ભગવાનમાં ન હોય. આજકાલ ઘરોમાં ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવે છે જેમા દેવી-દેવકાઓની સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ આ સમયે ઘણી ભુલો થઈ જાય છે. જેના કારણે પૂજાનું શુભ ફળ નથી મળતું.
ઘણા લોકોને તો એ પણ ખબર નથી હોતી કે મંદિરમાં ભગવાનની પ્રતિમા રાખવાના પણ નિયમ છે. આ નિયમોની અવગણના કરવા પર પૂજા-પાઠનો કોઈ ફાયદો નથી થતો. ઘરના મંદિરમાં દેવી-દેવતાઓને સ્થાન આપવા પહેલા જાણી લોક નિયમ અને વાસ્તુશાસ્ત્ર શું કહે છે.
ઘરના મંદિરમાં આ રીતે કરો મુર્તીની સ્થાપના
ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પણ દેવી-દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત ન કરવી જોઈએ તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
જો દેવી-દેવતાઓની પ્રતિમાઓ ઉત્તર દિશામાં સ્થાપિત કરી રહ્યા છો તો તેમની નીચે લાલ રંગનું કાપડ પણ ન પાથરો તે બિલકુલ પણ શુભ નથી.
ઘરના મંદિરમાં એક સાથે ઘણા દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે જે વાસ્તુના હિસાબથી ખોટુ છે. મંદિરમાં એકથી વધારે પ્રતિમાં ન હોવી જોઈએ.
દેવી-દેવતાઓની પ્રતિમા ઘરની પશ્ચિમ દિશામાં રાખવાથી ભગવાનની કૃપા નહીં વરસે. આ વાતનું ધ્યાન રાખો.
ઘરની ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવા માટે બિલકુલ સારી નથી માનવામાં આવતી. જો આ દિશામાં ભગવાનને બેસાડવા છે તો તેની નીચે લીલા અને પીળા રંગના કપડા પાથરો.
શાલિગ્રામને ઘરના મંદિરમાં રાખવાની જગ્યા પર હંમેશા તુલસીના કુંડામાં સ્થાપિત કરવા જોઈએ. તુલસીની સાથે તેમની સ્થાપના શુભ માનવામાં આવે છે.
ઘરના મંદિરમાં ગણપતિ બાપ્પાની ત્રણ પ્રતિમાઓ એક સાથે ક્યારેય ન રાખવી જોઈએ. આમ કરવાથી કામકાજમાં કારણ વગર મુશ્કેલીઓ આવે છે.
મંદિર માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશા પૂજા-પાઠ માટે શુભકારી નથી. તો આ બન્ને વાતો ખાસ ધ્યાનમાં રાખો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)