કિન્નર લોકો વિશે આપ સૌને ખબર છે કારણ કે તે પુરૂષ હોય છે અને તેઓ ક્યારેય લગ્ન નથી કરતા. પરંતુ એકવાત જાણીને તમે અચંબિત થઇ જશો કે કિન્નર લોકો પણ લગ્ન કરે છે પરંતુ માત્રને માત્ર એક રાત માટે....તે પણ ભગવાન સાથે..
કિન્નરના ભગવાન કોણ છે તે કોની સાથે લગ્ન કરે છે તેના અમે આપને અમે જણાવીશું. આપને જણાવી દઇએ કે આ કોઇ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ અર્જુન અને નાગ ક્ન્યા ઉલૂપીની સંતાન ઇરાવન છે તે અરાવનના નામથી પણ જાણીતા છે.
ઇરાવન કિન્નરના ભગવાન કેવી રીતે બન્યા અને તેની જ સાથે કિન્નરના લગ્ન કેવી રીતે થાય છે તેની સાથે મહાભારતના યુધ્ધ સમયની એક કહાની જોડાયેલી છે. પરંતુ આ કહાની આપને જણાવ્યા પહેલા કિન્નરના લગ્ન વિશે અમે આપને જણાવીશુ.
આપને જણાવી દઇએ કે કિન્નરના લગ્નનો જશ્ન જોવો હોય તો તમિલનાડુના કુવાગામ જવું પડશે. અહીં દરેક વર્ષે તામિલ નવવર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાએ કિન્નરોનો ઉત્સવ શરૂ થાય છે. જે 18 દિવસ સુધી ચાલે છે જેમાં 17માં દિવસે કિન્નરોના લગ્ન યોજાય છે. 16 શ્રૃંગારથી સજ્જ કિન્નર આવે છે જેને પૂરોહિત મંગળસૂત્ર પહેરાવે છે અને તેના લગ્ન યોજાય છે.
ઉલ્લેખનીય છે કે લગ્નના આગળના દિવસે ઇરાવન દેવની પ્રતિમાને સમગ્ર શહેરમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ તેને તોડી પાડવામાં આવે છે. આ ઘટના બનતા જ કિન્નરો તેમનો શ્રૃગાંર ઉતારીને વિધવાની જેમ વિલાપ કરવા લાગે છે.
આ સાથે મહાભારતના યુધ્ધ સાથેની એક વાર્તા વધુ જોડાયેલ છે કે મહાભારતના યુધ્ધ પહલાં પાંડવોએ માતા કાલીની પૂજા કરી હતી. જેની પૂજામાં એક રાજકુમારની બલિ આપવાની હતી. જ્યારે કોઇ રાજકુમાર આગળ ના આવ્યો ત્યારે ઇરવને જણાવ્યું કે આ બલિ હું આપીશ. પરંતુ તેમા એક શરત હતી કે લગ્ન કર્યા વગર આ બલિ ના ચડી શકે.
આ સમસ્યાના ઉકેલમાંટે ભગવાન શ્રીકૃષ્ણએ એક ઉપાય શોધી કાઢ્યો. જેમાં ભગવાને મોહિનીનું રૂપ ધારણ કર્યું અને ઇરાવન સાથે લગ્ન કરી લીધા. બીજા દિવસે સવારે ઇરાવનની બલિ આપવામાં આવી અને ભગવાન શ્રી કૃષ્ણનું મોહિની સ્વરૂપ વિધવા થયું અને વિલાપ કરવા લાગ્યું. આ ઘટનાને યાદ કરીને જ કિન્નરોના લગ્ન કરાવવામાં આવે છે.