એકમાળા ગણેશ ગાયત્રીની કરો
ઓમ એકદંતાય વિદ્મહે I વક્રતુંડાય ધીમહિ I તન્નો દંતી પ્રચોદયાત્
શક્ય હોય તો માટીની મૂર્તિનો આગ્રહ રાખવો હિતકારી છે
ગણેશ પુરાણ અને મુદગલ પુરાણમાં માટીની મૂર્તિનો ઉલ્લેખ જોવા મળે છે
સ્થાપના કરતી વખતે મૂર્તિને હાથ વડે પકડવી નહીં
મૂર્તિના કાન કે મસ્તકથી પણ પકડવી નહીં
નીચે બેઠકના ભાગથી ચારેય બાજુ ઉંચકીને સ્થાપિત કરવી
કદાચ માટીની મૂર્તિ ખંડિત થાય તો વ્હેમ લાવવાની જરૂર નથી
ખંડિત મૂર્તિને તાત્કાલિક પાણીમાં પધરાવી બીજી મૂર્તિની સ્થાપના કરવી
આસોપાલવનું તોરણ અથવા આંબાનું તોરણ જરૂરથી બાંધવું
બને તો દરરોજ લાડુનો પ્રસાદ વધારે યોગ્ય મનાય
કેટલાક ભક્તો અલગ-અલગ પ્રકારના પ્રસાદો ધરે છે પરંતુ ગણેશ મોદક પ્રિય કહેવાય છે
ગણેશ પંડાલમાંથી વ્યસની લોકોને દૂર રહેવાનો આગ્રહ કરવો
પોતે સ્થાપેલા ગણેશજીનું કોઈપણ નામકરણ કરવું
અભદ્ર કે આછા વસ્ત્ર પહેરીને મર્યાદાનો ભંગ ન કરવો
ચડસા-ચડસી તથા ઝઘડાઓથી દૂર રહેવું
ઈલેક્ટ્રીકના વાયરો કે સાધનોને બાળકો ન અડે તેનું ધ્યાન રાખવું
શક્ય હોય તો ગુજરાતી ભાષામાં ગણેશજીની આરતી કરવી
ઓમ ગં ગણપતયે નમઃની ધૂન બોલાવવી