ઉત્તર પ્રદેશના મેરઠમાં ફાયરીંગની ઘટનાનો શિકાર થયેલા એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની સલામતી માટે 101 બકરાની કુરબાની આપવામા આવી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન યુપીમાં થઈ હતી ફાયરીંગની ઘટના
સમર્થકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા
ઓવૈસીના લાંબા આયુષ્ય માટે લોકો કરી રહ્યા છે દુઆં
ઉત્તર પ્રદેશના મેરઠમાં ફાયરીંગની ઘટનાનો શિકાર થયેલા એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની સલામતી માટે 101 બકરાની કુરબાની આપવામા આવી છે. હૈદરાબાદમાં એક બિઝનેસમેને ઓવૈસીની સુરક્ષા અને લાંબી ઉંમર માટે દુઆ કરવા માટે આ કુરબાની આપી છે. રવિવારે બકરાની કુરબાની માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન માલકપેટ ધારાસભ્ય અને AIMIM નેતા અહમદ બલાલા પણ હાજર રહ્યા હતાં.
બે યુવકોએ ઓવૈસીની કાર પર કર્યું હતું ફાયરીંગ
હકકીતમાં જોઈએ તો, યુપીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અસદુદ્દીન ઓવૈસી મેરઠથી દિલ્હી તરફ પાછા વળી રહ્યા હતા. આ દરમિયાન અમુક હુમલાખોરોએ તેમના પર ફાયરીંગ કર્યું હતું. આ મામલામાં પોલીસે 2 યુવકોની ધરપકડ પણ કરી છે. પોલીસ પૂછપરછમાં આ આરોપીઓએ જણાવ્યું હતું કે, તે ઓવૈસી અને તેના ભાઈના નિવેદનોથી નારાજ છે. એટલા માટે તેમણે તેમના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં વાત કહી હતી. જો કે, તેમણે સિક્યોરિટી લેવાની ના પાડી દીધી હતી.
બે લોકોની કરવામાં આવી હતી ધરપકડ
3 ફેબ્રુઆરીએ ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લમિનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સારા સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સમર્થરો પ્રાર્થના કરી રહ્યા હતા. ઓવૈસી પર હુમલા મામલે અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આરોપી સચિન પંડિતે ફાયરીંગ કર્યું હતું અને તેમની પાસે 9 એમએમની પિસ્તૌલ મળી છે. આ મામલામાં પોલીસે સચિન અને શુભમની ધરપકડ કરી લીધી છે.
હું મરવાથી ડરતો નથી, એક ઓવૈસી મારશો તો લાખો ઓવૈસી પેદા થશે
આ ઘટના બાદ અસદુદ્દીન ઓવૌસીએ કહ્યું હતું કે, હું મરવાથી નથી ડરતો, મારા પર હુમલો એટલા માટે કરવામા આવ્યો કારણ કે, હું આપની વિરુદ્ધ બોલું છું. તેમણે કહ્યું કે, જો એક ઓવૈસી મરી જશે તો આ દેશમાં લાખો ઓવૈસી બીજા જન્મ લેશે. મને તમારી ગોળીઓથી ડર નથી લાગતો.