આપે મનુષ્યો સાથે કુતરાંઓની ફોજને વિશે તો સાંભળ્યું હશે પરંતુ આપે શું ક્યારેય એ સાંભળ્યું છે કે કોઇ દેશમાં બકરીઓની પણ ફોજ બનાવવામાં આવી હોય. તો હાં આ એક હકીકત છે કે આવું થયું છે કે પુર્તગાલમાં જ્યાં જંગલની આગ પર કાબુ મેળવવા માટે બકરીઓની એક ફોજ તૈયાર કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે પુર્તગાલનાં જંગલોમાં આગ લાગવાની ઘટના ખૂબ વધારે થાય છે જેથી ત્યાંની સરકાર ખૂબ પરેશાન છે. એવામાં જંગલની આગ પર કાબુ મેળવવા માટે ત્યાંની સરકાર બકરીઓનો ઉપયોગ કરી રહી છે. હવે આપ વિચારી રહ્યાં હશો કે બકરીઓ કેવી રીતે જંગલમાં આગ લાગવાથી બચાવી શકે.
હકીકતમાં પહેલા જ્યારે પુર્તગાલમાં ગામડાંઓમાં બકરી અને ઘેટાં પાળનાર ખૂબ વધારે રહેતું ત્યારે આ જાનવર જંગલોને ગામડાંઓ સુધી પહોંચવા ન હોતા દેતાં. ચારા સ્વરૂપે તેઓ જંગલોને ભોજન બનાવી દેતા. જેથી જંગલ ગામડાંઓ સુધી ફેલાતું જ ન હોતું.
પરંતુ જ્યારે ગામનાં લોકો શહેર તરફ પલાયન કરવા લાગ્યા તો જંગલ ગામ સુધી ફેલાવવા લાગ્યું. ગામડાંમાં એક નાની ભૂલને કારણ પૂરું જંગલ આગની ઝપેટમાં આવી જતું. જેથી તેમાં સફળતા મળ્યા બાદ હવે સરકાર આ ફોર્મ્યુલાને દેશનાં વધારે ભાગોમાં લાગુ કરવા પર વિચાર કરી રહી છે.
આ યોજનાને લઇને ત્યાંના અધિકારી લિયોનલ માર્ટિંસ પેરેરિયોએ કહ્યું કે, આ પગલાંને જંગલની આગ પર કાબુ મેળવવાની યોજનાની આગેવાની તરીકે ગણવામાં આવશે અને આ અંતર્ગત ગામડાંઓમાં ફરીથી બકરીઓની સંખ્યા વધારવામાં આવશે.