બકરીનાં કાનની કાર્ટિલેજથી 25 દર્દીઓની શારીરિક વિકૃતિ દૂર કરાઇ
મનુષ્યના શરીરમાં પ્રાણીની કાર્ટિલેજ
દેશની સરકારી હોસ્પિટલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલ અને યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે એક મોટો દાવો કર્યો છે. જે મુજબ બકરીના કાનની કાર્ટિલેજનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 25 લોકોમાં શારીરિક વિકૃતિ દૂર કરવામાં આવી છે.
RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કરાઇ સારવાર
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોકટરો અને પશ્ચિમ બંગાળ યુનિવર્સિટી ઓફ એનિમલ એન્ડ ફિશરી સાયન્સના વૈજ્ઞાનિકોએ બકરીના કાનની કાર્ટિલેજનો ઉપયોગ માઇક્રોટીયા (બાહ્ય કાનની જન્મજાત ખોડખાંપણ), ફાટેલા હોઠ અને અકસ્માતોને કારણે થતી અન્ય શારીરિક વિકૃતિઓની સારવાર માટે કર્યો હતો.
શું કહ્યું ડોકટરોની ટીમે ?
ડોકટરોની ટીમે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયામાં સારવારનો ખર્ચ ઘણો ઓછો હશે. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા પ્રોફેસર ડૉ. રૂપ નારાયણ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, "વિકૃતિ (માઈક્રોટીયા) સુધારવા માટે, વ્યક્તિએ પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે છે.
મનુષ્યના શરીરમાં પ્રાણીની કાર્ટિલેજ
પ્રાણીઓના શરીરમાં પ્રાયોગિક ઉપયોગ કર્યા પછી, RG કાર હોસ્પિટલમાં અમુક પ્રકારની વિકૃતિ (નાક અને કાનની રચના) ધરાવતા 25 દર્દીઓ પર તેને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભટ્ટાચાર્યએ કહ્યું કે, તેમની સંમતિ મળ્યા પછી, દર્દીઓએ બકરીના કાર્ટિલેજનો ઉપયોગ કરીને સર્જરી કરી અને થોડા સમય પછી, ડોકટરોને તેમાંથી મોટાભાગનામાં ખૂબ સારા પરિણામો મળ્યા.