ન્યુ યર પર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી સાવધાની વર્તવાની જરૂર છે. જ્યાં ફરવા જઈ રહ્યા છો તેના માટે જારી કરાયેલ કોવિડ-19 માર્ગદર્શિકા જાણીને તેનું પાલન કરવું જોઈશે.
લોકોમાં નવા વર્ષને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
નવા વર્ષમાં જ્યાં ફરવા જઈ રહ્યા છો ત્યાંની કોવિડ-19 ગાઈડલાઇન્સ વિશે જાણી લો
ગોવામાં કોરોના સંબંધિત કોઈ નિયંત્રણો લાગુ કરવામાં નથી આવ્યા
હિમાચલમાં બહાર પડી કોવિડ ગાઈડલાઇન્સ
ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચકાવ્યું છે અને તબાહી મચાવી રહ્યો છે એવામાં ભારતમાં પણ સરકાર હવે અલર્ટ મોડ પર આવી ગઈ છે. ચીનની હાલત જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર વધવા લાગ્યો છે. જો કે હજુ પણ લોકોમાં નવા વર્ષને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં જો તમે પણ નવા વર્ષની ખુશીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી સાવધાની વર્તવાની જરૂર છે. ઉપરાંત જ્યાં ફરવા જઈ રહ્યા છો તેના માટે જારી કરાયેલ કોવિડ-19 માર્ગદર્શિકા જાણીને તેનું પાલન પણ કરવું જોઈશે.
કર્ણાટક ફરવા જવા માટે આ માર્ગદર્શિકા
નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકાર દ્વારા કોવિડ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ત્યાંના રેસ્ટોરન્ટ, પબ, થિયેટર હોલ, સ્કૂલ અને કોલેજ જેવી બંધ જગ્યાઓની અંદર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે નવા વર્ષની ઉજવણી 1 વાગ્યા સુધી ચાલી શકશે. કોરોનાના ડરને લઈને કર્ણાટકના આરોગ્ય મંત્રી કે.કે. સુધાકરે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી પણ આપણે હવેથી સાવચેત રહેવું જોઈશે.
આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ પ્રેગ્નેન્ટ મહિલાઓ, બાળકો, વૃદ્ધ નાગરિકો સહિત સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ જાહેર સ્થળોએ અને ભીડ-ભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. આ સિવાય એડવાઈઝરીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પણ ઈવેન્ટ્સ ઈન્ડોર થઈ રહ્યા છે ત્યાં લોકોની સંખ્યા ઉપલબ્ધ સીટોની સંખ્યાથી વધુ ન હોવી જોઈએ.
દિલ્હીના લોકોએ ખાસ ધ્યાન આપવું...
દેશની રાજધાનીમાં પણ કોરોનાને લઈને દિલ્લી સરકાર ઘણી સક્રિય દેખાઈ રહી છે. જણાવી દઈએ કે સોમવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કોવિડની સ્થિતિને લઈને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં એમને કોવિડને લગતી તૈયારીઓ વિશે વાતચીત કરી હતી. આ બેઠકના થોડા દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોવિડની સ્થિતિ પર ઈમરજન્સી બેઠક યોજી હતી, જેમાં એમને કહ્યું હતું કે દિલ્હી સરકાર કેસોમાં કોઈપણ સંભવિત વધારાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ગોવાનો છે આ હાલ
નવા વર્ષની ઉજવણી માટે ગોવામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે અને સારી રીતે ઉજવણી કરે છે અને એ વાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ત્યાં કોઈ પ્રકારનો પ્રતિબંધ લાદ્યો નથી. તમને જણાવી દઈએ કે સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યમાં કોરોના સંબંધિત કોઈ નિયંત્રણો લાગુ કરવામાં આવશે નહીં. એક ઉચ્ચ સ્તરીય બેઠક પછી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી હતી કે ગોવામાં 1 જાન્યુઆરી 2023 સુધી કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
હિમાચલમાં બહાર પડી કોવિડ ગાઈડલાઇન્સ
હિમાચલમાં પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે લાખો પ્રવાસીઓ પંહોચે અને ભીડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવા માટે ગાઈડલાઇન્સ બહાર પાડી છે. જારી કરાયેલી માર્ગદર્શિકામાં લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને પણ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે લોકો આ માર્ગદર્શિકાનું પાલન કરે.
ઉત્તરાખંડમાં પણ સરકારે કરી આવી તૈયારી
આપણએ બધા જાણીએ છીએ કે ઉત્તરાખંડ પણ એક ખૂબ જ સુદંર ફરવાલાયક પર્યટન સ્થળ છે અને ત્યાં પણ નવા વર્ષની ઉજવણી માટે સરકારે તૈયારીઓ કરી છે. જો કે કોરોનાના સંકટને કારણે હોટલ બુકિંગ પર અસર પડી છે. જણાવી દઈએ કે ઉતરાખંડ સરકારે માસ્કનો ઉપયોગ કરવા અને સામાજિક અંતરને અનુસરવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલોમાં લગાવવામાં આવેલા ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, ઓક્સિજન સિલિન્ડરોની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે.