અધિકારીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે. આ અકસ્માતને કારણે કોંકણ રેલ્વે માર્ગ ખોરવાઈ ગયો છે, જેના આધારે રેલવે સેવાને પુનર્સ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
વહેલી સવાલે 4.30 કલાકે બની ઘટના
આ ઘટના આજે સવારે 4.30 વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી મડગાંવ તરફ જઇ રહી હતી, ત્યારે રાજધાની એક્સપ્રેસનું એન્જિન રસ્તામાં કરબુદે ટનલની અંદરથી પાટા પરથી ઉતરી ગયું હતું. આ ઘટના કારણે આ રેલ્વે પર ટ્રેનોની અવરજવર બંધ કરવી પડી હતી. તો ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને મોટી હોનારત થતાં અટકી ગઈ હતી.
વાહન વ્યવહાર ખોરવાયો
અકસ્માતની જાણકારી મળતાની સાથે જ કોંકણ રેલ્વેની સિસ્ટમ તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી અને એન્જિનને પાટા પર લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માતને કારણે કોંકણ રેલ્વે લાઈન પર વિવિધ ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી છે.
જાનહાનીના કોઈ અહેવાલ નહીં
કોંકણ રેલ્વેના જનસંપર્ક અધિકારી સચિન દેસાઇએ જણાવ્યું હતું કે સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરોને ઇજા પહોંચી નથી અને તમામ મુસાફરો કોચમાં સલામત હતા. તેમણે જણાવ્યું હતું કે, આગામી કેટલાક કલાકોમાં રેલ્વે માર્ગ પૂર્વવત થઈ જશે.