કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દિકરી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાના આરોપ બાદ શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી બચાવમાં ઉતરી આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના બચાવમાં આવ્યા પ્રિયંકા
શિવ સેના સાંસદોને સ્મૃતિ ઈરાનીની દિકરીને લઈ કહી આ વાત
કોંગ્રેસે લગાવ્યો હતો ગંભીર આરોપ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દિકરી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાના આરોપ બાદ શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી બચાવમાં ઉતરી આવ્યા છે. તેમણે સ્મૃતિ ઈરાનીની દિકરી ઝોઈશ ઈરાનીનો બચાવ કરતા કહ્યું કે, 18 વર્ષિય બાળકીને ખલનાયિકા તરીકે રજૂ કરવી જોઈએ નહીં. પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 18 વર્ષિય બાળકીને તો એ પણ નહીં ખબર નહીં હોય કે ભારતમાં એક રેસ્ટોરંટ ચલાવવા માટે લાયસન્સ લેવાની પ્રક્રિયા શું હોય અને તેમાં કયા પ્રકારની સજા થઈ શકે છે.
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, એક યુવાન છોકરીએ પોતાના સપના પુરા કરવા માટે આવું કર્યુ હોય, બની શકે છે કે, તેનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, પણ 18 વર્ષિય બાળકીને આવી રીતે બદનામ કરવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, હું એક 19 વર્ષિય બાળકની માતા તરીકે આ બધી વાત કરી રહી છું. હું મારી રાજનીતિને તેનાથી અલગ રાખુ છું.
હકીકતમાં જોઈએ તો, શિવસેના સાંસદનું આ ટ્વિટ ત્યારે સામે આવ્યું જ્યારે સ્મૃતિ ઈરાનીએ તમામ આરોપોનું ખંડન કર્યું છે. કહ્યું કે, તેમની દિકરી ફર્સ્ટ ઈયર કોલેજની વિદ્યાર્થિની છે અને કોઈ બાર ચલાવતી નથી. તેઓન કોંગ્રેસને કાયદાકીય રીતે પોતાનો દાવો સાબિત કરવાનું કહ્યું છે.
કોંગ્રેસે લગાવ્યો હતો આરોપ
ગોવામાં ગેરકાયદેસર રીતે ચાલતા કથિત રીતે સ્મૃતિ ઈરાનીની દિકરીનું નમ સામે આવ્યા બાદ કોંગ્રેસે સ્મૃતિ ઈરાની પર આરોપ લગાવ્યા હતા કોંગ્રેસ નેતા પવન ખેડાએ પત્રકાર પરિષદ યોજીને ગોવામાં સ્મૃતિ ઈરાનીની દિકરી દ્વારા ચલાવામાં આવતા એક નકલી લાયસન્સ ધારી રેસ્ટોરંટનો આરોપ લગાવ્યો હતો. તે લાયસન્સ એક એવા વ્યક્તિના નામ પર છે, જેનું મોત મે 2021માં થયું અને લાયસન્સ જૂન 2022માં લીધું. તેમણે પ્રધાનમંત્રી મોદી પાસે કેબિનેટમાંથી સ્મૃતિ ઈરાનીને હટાવી દેવાની પણ માગ કરી હતી.