દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર કરતા લેફ્ટનન્ટ ગવર્નરને વધુ સત્તા આપતા રાષ્ટ્રીય રાજધાની રાજ્ય સરકાર (સુધારા) બિલ 2021 (જીએનસીટીડી બિલ 2021) ને રાજ્યસભા દ્વારા પસાર કરી દેવામાં આવ્યું.
રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું નવું બિલ
દિલ્હીમાં ઉપરાજ્યપાલની સત્તા[ઓને વધારનારું બિલ થયું પાસ
થોડા દિવસ અગાઉ લોકસભામાંથી પણ પસાર થઈ ચૂક્યું છે આ બિલ
મહત્વનું છે કે આદિલ્હીમાં ડેપ્યુટી ગવર્નર (એલજી) ને વધુ સત્તા આપતા બિલને આજે રાજ્ય સભાએ પણ મંજૂરી આપી દીધી હતી. આ અગાઉ 22 માર્ચે, આ બિલને લોકસભા દ્વારા પણ પસાર કરી નાખવામાં આવ્યું હતું. આ બિલનો દિલ્હીમાં શાસક આમ આદમી પાર્ટી (આપ), કોંગ્રેસ સહિતના ઘણા પક્ષોએ વિરોધ કર્યો હતો.
આ લોકશાહી માટે દુ:ખદ દિવસ : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે, રાજ્યસભાએ જીએનસીટીડી સુધારણા બિલ પસાર કરી દીધું છે. લોકશાહી માટે દુ:ખદ દિવસ છે. લોકોની શક્તિ પુન:સ્થાપિત કરવા માટે અમે આપણો સંઘર્ષ ચાલુ રાખીશું. ભલે ગમે તે અવરોધો આવે, અમે આપણું સારું કામ ચાલુ રાખીશું. કામ ન તો અટકશે અને ન તો ધીમું પડશે.
RS passes GNCTD amendment Bill. Sad day for Indian democracy
We will continue our struggle to restore power back to people.
Whatever be the obstacles, we will continue doing good work. Work will neither stop nor slow down.
આ મુદ્દે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ પોતાનો વિરોધ નોંધાવતા કહ્યું કે, લોકશાહી માટે આજનો દિવસ દુ:ખદ છે. દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના અધિકાર છીનવાઈ ગયા અને ઉપરાજ્યપાલને સોંપી દીધા. અને વિડંબના તો જુઓ કે લોકશાહીની હત્યા કરવા માટે સંસદની પસંદગી કરવામાં આવી હતી, જે આપણી લોકશાહીનું મંદિર છે તે જુઓ. દિલ્હીના લોકો આ સરમુખત્યારશાહી સામે લડશે. ''
आज का दिन लोकतंत्र के लिए काला दिन है।दिल्ली की जनता द्वारा चुनी हुई सरकार के अधिकारों को छीन कर एलजी के हाथ में सौंप दिया गया।विडंबना देखिए कि लोकतंत्र की हत्या के लिए संसद को चुना गया जो हमारे लोकतंत्र का मंदिर है।दिल्ली की जनता इस तानाशाही के खिलाफ लड़ेगी. #BJPFearsKejriwal
રાજ્યસભામાં બિલ અંગેની ચર્ચાના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે બંધારણ મુજબ દિલ્હી મર્યાદિત સત્તાઓ ધરાવતું કેન્દ્ર શાસિત ક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ કાયદાના તમામ સુધારા કોર્ટના નિર્ણયને અનુરૂપ છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગે છે કે દિલ્હી સરકારના કોઈ અધિકારને ઓછો કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે દિલ્હી વિધાનસભાની પાસે સીમિત વિધાયી અધિકારો છે. તે જ સમયે, વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખાર્ગે કહ્યું કે તેઓ સરકારના આ બિલ અંગેના આ જવાબથી સંતુષ્ટ નથી, તેથી તેમનો પક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરી રહ્યો છે.