ગુજરાતમાં વાવાઝોડાએ પોતાનો રૂટ બદલાવ્યો છે ત્યારે હવે દ. ગુજરાત અને મધ્ય ગુજરાત 'મહા' ચક્રવાતનો કહેર વરસશે. ગુજરાતમાં ચાર બંદરોને હાઈએલર્ટ આપવામાં આવ્યા છે. એમાંય જાફરાબાદના દરિયાથી 500 મજૂરોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
વેરાવળ , ઓખા , પોરબંદર, જાફરાબાદ એલર્ટ પર મૂકાયા. ગુજરાતના 48 બંદરો પર GPSથી મોનિટરીંગ શરૂ. વહાણનો ટ્રાફિક મોનીટરીંગ રૂમ સાથે સંપર્ક કરાયો. ખંભાતમાં 52, કચ્છમાં 90 જહાજો દરિયામાં લંગારાયા.
ચાર પોર્ટ ઉપર આપવામાં આવ્યુ એલર્ટ
બંદર પર આવનારા માલાવાહક જહાજોને લેટ કરાયા
વાવાઝોડુ હવે પોતાનો રસ્તો બદલ્યો છે અને તે સીધુ દીવના દરિયે હીટ કરવાનું છે ત્યારે 20 માલવાહક જહાજોનું આગમન મોડું કરાયું છે. 48 કલાક 20 જહાજોનુ આગમન મોડુ કરવામાં આવ્યુ છે.
ગુજરાતમાં તમામ બંદરો ઉપર રખાઈ રહ્યુ છે મોનિટરીંગ
ગુજરાતના 48 બંદરો પર GPSથી મોનિટરીંગ કરવામાં આવે છે. વહાણનો ટ્રાફિક મોનીટરીંગ રૂમ સાથે સંપર્ક કરાયો છે. ખંભાતમાં 52, કચ્છમાં 90 જહાજો દરિયામાં લંગારાયા છે.
દક્ષિણ ગુજરાતમાં તકેદારી વધારાઈ
સુરત-મુંબઈ વચ્ચે GMB ક્રુઝ સર્વિસ શરૂ કરવાનું હતું પરંતુ તે હાલ પુરતુ મોકૂફ રાખવામાં આવ્યુ છે. 10 નવેમ્બરે શરૂ થનારી ક્રુઝ સર્વિસ 15 નવેમ્બરે શરૂ થશે.
શુ્ં કહ્યુ ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુકેશ કુમારે
જાફરાબાદમાં ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ સ્વાન એફએસઆરયુ, સીમર પોર્ટ, માંગરોળ ડિસ્ટ્રીક્ટ હાર્વડનું કામ ચાલુ છે. આ સાઈટ ઉપર 500 મજૂરો કામ કરી રહ્યા છે. ત્યારે અમે હાલમાં આ મજૂરોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મજૂરોને સેડો એરિયામાં ખસેડાશે બે દિવસ માટે પોર્ટ નું કામ કાજ ચાલુ છે. - મુકેશ કુમાર (MD, Gujarat Maritime Board ગાંધીનગર)