વિદેશ મંત્રી એસ. જયશંકરે મ્યૂનિખ સુરક્ષા સંમેલન 2022માં ચાઈનાને જગતની સામે ખુલ્લુ પાડ્યું, જેનાથી ચીનને બરાબરના મરચા લાગ્યા છે, જો કે, ભારતની શક્તિનો પરચો તેને મળી ગયો છે, એટલા ઉટપટાંગ બફાટ કરી રહ્યું છે.
ચાઈનાને સતાવી રહ્યો છે આ ડર
ભારતને આપી રહ્યું છે સુફીયાણી સલાહ
ભારતને આ કામ ન કરવાની આડકતરુ સૂચન
વિદેશ મંત્રી એસ. જયશંકરે મ્યૂનિખ સુરક્ષા સંમેલન 2022માં એક પૈનલ ચર્ચામાં કહ્યું કે, ભારત-ચીન સંબંધ અત્યંત આકરાં સમયમાંથી ગુજરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત-ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવાદ એટલા માટે વધી રહ્યો છે કારણ કે, ચીને બંને દેશોની વચ્ચે થયેલા સમી કરારનું ઉલ્લંઘન કર્યું છે. વિદેશ મંત્રીના આ નિવેદન પર ચીની સરકારના મુખપત્ર મનાતા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, ભારત સરહદ વિવાદનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની ખતરનાક કોશિશ કરી રહ્યું છે. જેનાથી ચીનને સતર્ક રહેવું જોઈએ.
દુનિયાની સામે ચીનને ઉઘાડુ પાડ્યું
ગ્લોબલ ટાઈમ્સે એસ. જયશંકરના નિવેદન પર એક રિપોર્ટ છાપ્યો છે, જેમાં અખબારે લખ્યું છે કે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે એક બહુપક્ષીય અવસર પર ચીન ભારત સરહદ વિવાદનો બે વાર ઉલ્લેખ કર્યો, જ્યાં ચીન હાજર નહોતું. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાયની તાકાતનો ફાયદો ઉઠાવીને ખુદને આગળ વધારવા અને સરહદ મુદ્દે ફ્રન્ટફૂટ પર રમવાની કોશિશ કરી શકે છે. આવી ખતરનાક પ્રવૃતિથી ચીને સાવધાન રહેવાની જરૂર છે.
સરહદ વિવાદનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માગે છે ભારત
ચીની અખબારે એસ. જયશંકરના નિવેદનને જગ્યા આપતા લખ્યું છે કે, ભારતે જ્યારે આ જોયું કે, આ મુદ્દે દ્વિપક્ષીય વાતચીતથી સમાધાન લાવવું મુશ્કેલ છે, તો તેણે સૌની સામે મુદ્દો ઉઠાવ્યો, અને તે તેનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માગે છે.
ચીનને લાગ્યા મરચાં
ચાઈના ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંટરનેશનલ સ્ટડીઝમાં એશિયા-પેસેફિક સ્ટડીઝ વિભાગના પ્રમુખ જૈન જિયાંઝૂના હવાલેથી ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, ભારત આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની કોશિશ કરી રહ્યું છે. ભારત માટે હવે દ્વિપક્ષીય ઢાંચા અંતર્ગત પોતાના લક્ષ્ય પ્રાપ્ત મુશ્કેલ થઈ ગયું છે. એટલા માટે તે અન્ય દેશો તરફ વળ્યા છે. ભારતને આશા છે કે, દેશોની વચ્ચે તે પોતાની શક્તિનો લાભ ઉઠાવીને ચીન પર સરહદ મુદ્દે છૂટ માટે પ્રેશર બનાવી શકશે.
ભારત પર ગ્લોબલ ટાઈમ્સનો કટાક્ષ
રિપોર્ટમાં આગળ આકરાં શબ્દોમાં લખ્યું છે કે, જેમ જેમ યુક્રેન સંકટ પ તણાવ વધી રહ્યો છે, અમેરિકા અને પશ્ચિમનું ધ્યાન ભારત-પ્રશાંત વિસ્તારની જગ્યાએ રશિયા અને યુરોપ પર છે. ભારત તેનાથી ડરેલું છે. ચીન સાથે સરહદ વિવાદનો ઉલ્લેખ કરીને ભારત અમેરિકાનું ધ્યાન ખેંચવા માગે છે અને બૂમો પાડી કહે છે કે, મારી અપીલોને નજરઅંદાજ ન કરો. મહેરબાની કરીને તમારુ દમન અને ચીન પર કંટ્રોલ ચાલું રાખો.
ભારત આંતરરાષ્ટ્રીય તાકાતનો ફાયદો ઉઠાવે છે-ચીન
અખબાર લખે છે કે, ભારત-ચીન સરહદ વિવાદનું સમાધાન સૌથી સારો રસ્તો દ્વિપક્ષીય વાર્તા છે. ભારત હાલમાં આંતરરાષ્ટ્રીય સ્થિતીનો ફાયદો ઉઠાવી રહ્યું છે, પણ ભારતની આ ચાલ નિષ્ફળ રહી અને ક્યારેય સફળ થશે નહીં.
ઈતિહાસમાંથી ભારતે શિખવું જોઈએ- ચીન
નિષ્ણાંતોના હવાલેથી ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, ભારતને ઈતિહાસ પાસેથી શિખવું જોઈએ. અખબાર લખે છે કે, ભારતને પહેલાથી જ બહારની તાકાતથી કંઈક વધારે પડતી આશા છે. આવી કલ્પના સંભવત: ભારતની સરહદની આજૂબાજૂ વધારે ઉત્તેજક પગલા ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
ચીન આપી રહ્યું છે ગીદડ ધમકી
ભારતને ઈતિહાસમાંથી શિખવું જોઈએ. પૂર્વમાં પણ જ્યારે ભારતને લાગ્યું કે, આંતરરાષ્ટ્રીય વાતાવરણ તેને અનુકુળ છે, તો તેમણે ઉત્તેજના બતાવી હતી. ભારતને વર્તમાન આંતરરાષ્ટીરય પરિવેશ, સીમા પર ચીન અને ભારત વચ્ચેના સંબંધોની સ્થિતી અને પોતાની તાકાતને વ્યવહારિક રૂપથી ઓળખવી પડશે. ખાલી આવી રીતે તે રણનીતિક ખોટા આકલનથી બચી શકે છે.
શું કહ્યું હતું ભારતના વિદેશ મંત્રીએ
મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં ચર્ચા દરમિયાન એસ. જયશંકરે કહ્યું હતું કે, ચીને સરહદ સુરક્ષા કરારનું ઉલ્લંઘન કર્યું જે બાદ તણાવ વધ્યો. તેમણે શનિવારે કહ્યું કે, ભારતને ચીન સાથે સમસ્યા છે કે, 1975થી 45 વર્ષ સુધી સરહદ પર શાંતિ રહી, સરહદીય સ્થિરતા રહી, કોઈ સૈનિક માર્યો નથી ગયો, પણ હવે તે બદલાયું છે. કારણ કે અમે ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય બળ તૈનાતી નહીં કરવા માટે કરાર કર્યા પણ ચીને તેનું ઉલ્લંઘન કર્યું.