આજથી 3 દિવસ પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમિટ પહેલા સરદારની 50 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ. આ અનાવરણ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. સમિટમાં દેશ-વિદેશના પાટીદાર ઉદ્યોગપતિઓ જોડાશે.32 કંપનીઓ 6 હજાર જોબ ઓફર કરશે. અને ધો.10-12 અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને 7 લાખનું સુધીનું પેકેજ મળશે.
CM રૂપાણીના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ
વૈષ્ણોદેવી સર્કલ પાસે પ્રતિમાનું અનાવરણ
આજથી 3 દિવસ પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ
આજથી પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટનો પ્રારંભ થયો છે. આજથી 5 જાન્યુઆરી સુધી ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સરદાર ધામ મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ યોજાઈ છે. ત્રણ દિવસ ચાલનાર આ સમિટમાં 10 હજાર જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. તો બીજી બાજુ પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું. પણ આ વખતે આ આયોજન મોટા પાયે કરવામાં આવ્યુ છે.
750 જેટલા સ્ટોલ
આ સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે તો સમિટમાં તમામ સમાજને આમંત્રણ આપેલું છે જેમાં સ્પોન્સર અને સ્ટોલ ધારકોમાં અન્ય સમાજના 10 ટકા લોકોએ ભાગ લીધો છે.આ વખતે ખેડૂતલક્ષી અને ડેરી ઉદ્યોગ અને મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે આ સમિટમાં સ્ટોલ આપવામાં આવ્યા છે. સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ સમિટમાં વિવિધ વક્તાઓ પણ ભાગ લેશે.