સંયુક્ત રાષ્ટ્ર (UN) ના વર્લ્ડ ફૂડ પોગ્રામ (World Food Programme) એ ચેતવણી આપી છે કે દુનિયા 'ભૂખમરાની મહામારી'ની કગાર પર ઉભું છે અને સમય રહેતા જરૂરી પગલા ન ઉઠાવવામાં આવ્યા તો થોડાક જ મહીનાઓમાં ભૂખમરાના શિકાર લોકોની સંખ્યાં મોટી સંખ્યામાં વધારો થઇ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પોગ્રામની ચેતવણી, દુનિયા 'ભૂખમરાની મહામારી'ની કગાર પર ઉભું છે
એક તરફ કોવિડ 19 મહામારી અને બીજી તરફ ભૂખમરાની મહામારીના મુખ સુધી આવી પહોંચ્યા
દુનિયાભરમાં 25,65,290 લોકો કોરોના વાયરસથી કોરોના વાયરસથી પોઝિટિવ જોવા મળ્યા છે, જેમાંથી પોણા બે લાખથી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડેવિડ બીસ્લે મંગળવારે 'આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવણી: સંઘર્ષથી ઉત્પન્ન ભૂખથી પ્રભાવિત સામાન્ય નાગરિકોની સુરક્ષા' વિષય પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્ર દરમિયાન કહ્યું, એક તરફ આપણે કોવિડ 19 મહામારી સામે લડી રહ્યા છીએ અને બીજી તરફ ભૂખમરાની મહામારીના મુખ સુધી આવી પહોંચ્યા છીએ.
તેઓએ કહ્યું કે હાલ દુકાળ નથી પડ્યો પરંતુ હું આપને ચેતવણી આપું છું કે જો આપણે તૈયારી ન કરી અને પગલા ન ઉઠાવ્યા તો આગામી કેટલાક જ મહીનાઓમાં આપણે તેનું નુકશાન ભોગવવું પડી શકે છે. તેનો સામનો કરવા માટે આપણે ફન્ડની અછત અને ઔદ્યોગિક બાધાઓને દૂર કરવા સહિત ઘણા પગલા ઉઠાવવા પડશે.
બીસ્લે કહ્યું કે કોવિડ 19ને પગલે દુનિયા વૈશ્વિક સ્વાસ્થ્ય મહામારી જ નહીં પરંતુ વૈશ્વિક માનવીય સકંટનો પણ સામનો કરી રહી છે. તેઓએ કહ્યું કે સંઘર્ષરત દેશોમાં રહેનાર લાખો નાગરિક, જેમા ઘણી મહિલાઓ અને બાળકો સામેલ છે, ભૂખમરાની કગાર પર છે.