દેશના અર્થતંત્રમાં સુસ્તીને લઇને સંકેત મળી રહ્યાં છે. કોરોના વાયરસની અસરના કારણે વેપાર-ધંધામાં ચારેબાજુથી અસર જોવા મળી રહી છે. આવન-જાવન ઓછુ થવાથી એરલાઇન્સ, રેલવેમાં તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં અંદાજે 30 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય ફલાઇટ એક અઠવાડીયા માટે ભારત આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોના વાયરસની અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે.
2008 થી ઓછી અસર
અર્થશાસ્ત્રીઓના જણાવ્યાં અનુસાર આ વખતે અર્થવ્યવસ્થામાં સુસ્તી 2008ની સરખામણીએ થોડી ઓછી જોવા મળી રહી છે, પરંતુ 2001 ની મંદી કરતા વધારે છે. જેનું મુખ્ય કારણ ચીન, અમેરિકા અને યૂરોપ જેવા વૈશ્વિક ઉત્પાદન કરતા હબ કોરોનાની ઝપેટમાં આવવાથી લૉકડાઉન થઇ ગયા છે.
કોરોનાની અસરથી બહાર આવતા ખબર નથી કેટલો સમય લાગશે
કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવવામાં હજી પણ થોડો સમય લાગી શકે છે. એટલા માટે ખબર નથી પડી રહી કે સુસ્તી કેટલો સમય ચાલશે. જો કે કોરોનાના ભયના કારણે નોકરીઓ પર પણ અસર જોવા મળી શકે છે. અર્થવ્યવસ્થામાં સુધારા માટે એક વર્ષથી વધારે સમય લાગી શકે છે. આ અંગેનું નિવેદન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપાર મંડળના અધ્યક્ષે આપ્યું હતું.
રિયલ એસ્ટેટની હાલત પણ ખરાબ
ઓટો સેક્ટરમાં સુસ્તી વચ્ચે રિયલ એસ્ટેટની પરિસ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે. સિમેન્ટ અને સ્ટીલ જેવી વસ્તુ, એફએમસીજી, વ્હાઇટ ગુડઝ બધી વસ્તુઓમાં સુસ્તીનો માર જોવા મળી રહ્યો છે.