પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્લોબલ ગોલકીપર અવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન માટે ન્યૂયોર્ક ખાતે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને PM મોદીને અવોર્ડ આપ્યો છે. PM મોદીને ગ્લોબલ ગોલકીપર અવોર્ડ બિલ ગેટ્સના હસ્તે આપવામાં આવ્યો.
બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને આપ્યો અવોર્ડ
PM મોદીને ગ્લોબલ ગોલકીપર અવૉર્ડ બિલ ગેટ્સે આપ્યો
આ સમ્માન મારું નહીં પણ 130 કરોડ ભારતીયોનું સમ્માનઃ PM
એવોર્ડ એનાયત બાદ PM મોદીએ કહ્યું...
આ અવોર્ડ મળ્યા બાદ PM મોદીએ કહ્યું કે આ મારું સન્માન નહીં પણ એ ભારતીયોનું છે જેમને સ્વચ્છ ભારતના સંકલ્પને માત્ર સિદ્ધ જ નહીં પણ રોજિંદી જિંદગીમાં ઢાળી દીધો. મહાત્માગાંધીની 150મી જન્મ જયંતિ પર મને આ અવોર્ડ મળવો એ મારા માટે વ્યક્તિગત રૂપથી ઘણો મહત્વપૂર્ણ છે. આ એ વાતનું પ્રમાણ છે કે જો 130 કરોડ લોકોની જનશક્તિ કોઈ એક સંકલ્પને પૂર્ણ કરવામાં લાગી જાય તો કોઈપણ પડકારને સરળતાથી પાર પાડીને જીત પ્રાપ્ત કરી શકાય છે.
PM Narendra Modi: In last five years a record more than 11 crore toilets were constructed. If this mission has benefited someone the most it is the poor of this country and the women. https://t.co/hiMtq0cwzapic.twitter.com/cXh6mGbcDS
ગત પાંચ વર્ષમાં ભારતમાં બનાવવામાં આવ્યાં 11 કરોડ શૌચાલય
પીએમ મોદીએ આ એવોર્ડ એનાયત બાદ કહ્યું કે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 11 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યાં છે. મહાત્મા ગાંધીનું સ્વચ્છતા સપનું સાકાર થવા જઇ રહ્યું છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે એક આદર્શ ગામડુ ત્યારે જ બની શકે જ્યારે તે સ્વચ્છ હોય.
સ્વચ્છતાના કારણે બાળકોમાં હૃદયની બિમારી ઓછી થઇ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના એક રિપોર્ટમાં જાણકારી મળી છે કે ભારતમાં સારી સ્વચ્છતાના કારણે ગામડામાં બાળકોમાં હૃદયની બિમારીની સમસ્યાઓ ઓછી થઇ છે.
આ એવોર્ડ કોને આપવામાં આવે છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકામાં 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ બિલ ગેટસે આપ્યો હતો. આ દર વર્ષે 17 લક્ષ્યાંકમાંથી કોઇ એક પર સારુ કામ કરનાર વ્યક્તિને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાની દિશામાં સારુ કામ કરવા બદલ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી આ સન્માન કરવામાં આવ્યું.
New York: Prime Minister Narendra Modi receives 'Global Goalkeeper Award' for the 'Swachh Bharat Abhiyan', from the Bill and Melinda Gates Foundation. Award presented by Bill Gates. pic.twitter.com/Ty1vn92ADg