94 વર્ષ જુના લક્ષ્મણ ઝુલા પુલને સુરક્ષાના કારણોસર ગયા વર્ષે બંધ કરાયો હતો
લક્ષ્મણ ઝુલાની બરાબર બનનાર આ બ્રિજની સપાટી મજબૂત પારદર્શક કાચની હશે. તેની પર ચાલનાર લોકોને લાગશે કે તેઓ નદીની સપાટી પર ફરી રહ્યા છે. 94 વર્ષોથી ઋષિકેશની ઓળખ બનેલા લક્ષ્મણ ઝુલાને સુરક્ષા કારણોથી ગયા વર્ષે જુલાઇમાં બંધ કરી દેવાયુ હતું. ત્યારબાદ ઉત્તરાખંડ સરકારે આ પુલની ડિઝાઇનને મંજુરી આપી હતી.
ઉત્તરાખંડના એડિશનલ ચીફ સેક્રેટરી ઓમ પ્રકાશે લક્ષ્મણ ઝુલાની સમાંતર બનનાર નવા બ્રિજની પહોળાઇ 8 મીટર અને લંબાઇ 132.3 મીટર હશે. તેના કાચમાં બે સપાટી પણ હશે. વચ્ચે અઢી મીટર પહોળો રોડ બનાવાશે. તેમાંથી દ્વિચક્રીય જેવા હળવા વાહન પસાર થઇ શકશે. કાચની પહોળાઇ સાડા ત્રણ ઇંચ હશે અને તે પ્રતિવર્ગમીટર 750 કિલોનું વજન સહી શકશે.
બ્રિજમાં ઉપયોગમાં લેવાતા લોખંડના થાંભલા અને સળિયા સામાન્ય મટીરિયલ કરતા વધુ મજબુત હશે. પુલની લંબાઇ 132.3 મીટર હશે. બંને કિનારા પર 7 ફુટ ઉંચી રેલિંગ લગાવાશે. અધિકારીએ જણાવ્યુ કે આ પુલ અવરજવર માટે કમસેકમ 150 વર્ષ સુધી સુરક્ષિત રહેશે. તેમણે જણાવ્યું કે પુલના નિર્માણમાં ઉપયોગમાં લેવાનાર થાંભલા અને લાકડીઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પિલ્લર અને સળિયાની સરખામણીમાં અનેક ગણા મજબત હશે.
જો આ પુલને સારી રીતે સાચવવામાં આવશે તો આગામી દોઢસો વર્ષ સુધી તેને કંઇ જ નહી થાય. ઋષિકેશની ઓળખના રુપમાં વિખ્યાત 94 વર્ષ જુના લક્ષ્મણ ઝુલા પુલને સુરક્ષાના કારણોસર ગયા વર્ષે બંધ કરાયો હતો. ત્યારબાદ તરત જ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે ઋષિકેશમાં આધુનિકતમ ટેકનીકથી લક્ષ્મણ ઝુલાનો વૈકલ્પિક પુલ બનાવવાની જાહેરાત કરી હતી.