દેશમાં કોરોના વાયરસ ટોપ ગિયરમાં છે. જૂન મહિનાની શરૂઆતથી કોરોના વાયરસના કેસ દરરોજ રેક્રોડ તોડી રહ્યા છે ત્યારે દેશમાં કોરોના વાયરસના દર્દીઓ માટે વ્યાજબી દવા લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે જે દર્દીઓમાં હલકા પ્રમાણમાં સંક્રમણ છે તેમના સારવારમાં આ દવા અત્યંત ઉપયોગી છે.
કંપનીએ કહ્યું DGCIએઆપી દવાના નિર્માણની અનુમતિ
હલકા પ્રમાણમાં સંક્રમણ ધરાવતા દર્દીઓ માટે દવા અસરકારક
તબીબોની સલાહ બાદ 103 રૂપિયામાં મળશે ટેબ્લેટ
DGCIએ આપી દવાના નિર્માણની અનુમતિ
Glenmark Pharmaceuticalsએ કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવીર કૉ ફેબિફ્લુ બ્રાંડ નામથી પ્રસ્તુત કરી છે. કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે તેને DGCIથી આ દવાના નિર્માણની અનુમતિ પ્રાપ્ત થઇ ગઈ છે અને માર્કેટિંગની પરવાનગી પણ આપવામાં આવી છે.
કોરોના કેસમાં સતત વધારો
કંપનીએ કહ્યું કે ફેબિફ્લુ કોવિડ 19ના ઈલાજ માટે ફેવિપિરાવીર દવા છે જેને મંજૂરી મળી છે. જેના પર Glenmark Pharmaceuticalsના ગ્લેન સલ્દાન્હાએ કહ્યું કે આ મંજૂરી એવા સમયમાં મળી છે જયારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પહેલાની તુલનામાં વધુ ઝડપથી વધી રહ્યા છે જેના કારણે સ્વાસ્થ્ય સેવા પ્રણાલી ખૂબ દબાણમાં છે. જેથી સારવારમાં દવાની ઉપલબ્ધતાથી સ્વાસ્થ્ય પ્રણાલીમાં મદદ મળશે.
103 રૂપિયા પ્રતિ ટેબ્લેટના ભાવથી મળશે દવા
તેમણે કહ્યું કે જ્યારે આ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે કોરોના વાયરસના હલકા સંક્રમણથી પીડિત દર્દીઓ પર દવાનું સારું પરિણામ જોવા મળ્યું છે. દવા ગળીને લેવાની છે જેથી સારવાર કરવામાં પણ કોઈ તકલીફ આવતી નથી. કંપની હવે સરકાર સાથે મળીને કામ કરશે જેથી દેશભરમાં આ દવા સરળતાથી ઉપલબ્ધ થઇ શકે. આ દવા તબીબોની સલાહ બાદ 103 રૂપિયા પ્રતિ ટેબ્લેટના ભાવથી મળી રહેશે.
નોંધનીય છે કે કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે જે દર્દીઓને હલકું સંક્રમણ જ છે તેમને આ દવા આપી શકાય છે આ કોરોનાના એવા દર્દીઓ જે ડાયાબીટીસ કે હૃદયની બીમારીથી પણ પીડાય છે તેમને આ દવા આપી શકાય છે.