જળ વાયુ પરિવર્તનના કારણે સતત ગ્લેશિયરો પીગળવાની ઘટના બનતી રહે છે. સંશોધકોએ ગ્લેશિયરો પર પડી રહેલા પ્રભાવ અને બરફ પીગળવાના દર પર અભ્યાસ કર્યા છે, પરંતુ પહેલી વાર નદીઓ પર જામી જતા બરફ પર ગ્લોબલ વોર્મિંગના પ્રભાવોનો અભ્યાસ કરાયો.
વોશિંગ્ટનમાં જળ વાયુ પરિવર્તન
સતત ગ્લેશિયરો પીગળવાની ઘટના
ગ્લોબલ વોર્મિંગ છે કારણ
યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ શું કહે છે?
સંશોધકોએ જણાવ્યું કે વૈશ્વિક તાપમાનમાં એક ટકાનો વધારો થતાં નદીઓમાં દર વર્ષે જામી જતો બરફ છ દિવસ પહેલાં પીગળી જાય છે. તેના પર્યાવરણીય પ્રભાવની સાથે આર્થિક પ્રભાવ પણ જોવા મળે છે. નેચર જર્નલમાં આ અભ્યાસને પ્રકાશિત કરાયો છે. અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીના સાયન્ટિસ્ટે જણાવ્યું કે અમે દુનિયાભરમાં મોસમી જામી જતી નદીઓને માપવા માટે ૩૪ વર્ષ સુધી સેટેલાઇટ દ્વારા એકઠી કરાયેલી લગભગ ૪૦ હજાર તસવીરોનો અભ્યાસ કર્યો. આ દરમિયાન જાણવા મળ્યું કે તમામ નદીઓનો ૫૬ ટકા ભાગ ઠંડીમાં જામી જાય છે.
બરફમાં ઘટાડો
તેમણે કહ્યું કે નદીઓ પર જામી જતા બરફમાં કેટલો ઘટાડો થાય છે તે પણ જાણવા મળ્યું. ૧૯૮૪થી ૧૯૯૪ અને ૨૦૦૮થી ૨૦૧૮માં નદીઓમાં જામેલા બરફની તુલના કરતાં જાણવા મળ્યું કે બરફ જામવાથી વૈશ્વિક ઘટાડો ૦.૩ ટકાથી ૪.૩ ટકા થઇ ગયો. સંશોધકોએ જાણ્યું કે નદીમાં બરફ જામવાના ક્રમમાં ઘટાડો ગ્લોબલ વોર્મિંગની સાથે જારી રહેવાની શક્યતા છે.
પરિવર્તનથી ગ્રહ બદલાશે
સંશોધકોએ ભવિષ્યના મોડલનો ઉપયોગ કરીને ૨૦૦૯થી ૨૦૨૯ અને ૨૦૮૦થી ૨૧૦૦ની વચ્ચે નદીઓનો બરફ પીગળવાની તુલના કરી. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જળવાયુ પરિવર્તનથી આપણો ગ્રહ કેવી રીતે બદલાઇ જશે.