ઉત્તરાખંડમાં ગ્લેશિયર ટૂટવાનાં દૃશ્યોએ લોકોને હૃદયને હચમચાવી દીધા છે, ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં ઋષિગંગા નદી પર પાવર પ્રોજેક્ટનાં ડેમનો ભાગ તૂટી ગયો છે. ગ્લેશિયર તૂટવાથી ભારે તબાહીની આશંકા સેવાઈ રહી છે.
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાનાં દૃશ્યો બાદ પ્રશાસન એલર્ટમાં આવી ગયુ છે. ગ્લેશિયર તૂટવાને લીધે અલકનંદા નદીનો જળ પ્રવાહ ખૂબ વધી ગયો છે. સાથે સાથે ધૌલીગંગા ગ્લેશિયરની તબાહીની સાથે તપોવનમાં બેરાજને પણ ભારે નુક્સાન થયાની માહિતી પ્રાપ્ત થઈ છે. હાલ પ્રર્યત પ્રશાસનની ટીમ ઘટના સ્થળ પર જવા રવાના થઈ છે.
જલ-પ્રવાહનો વિકારાળ રુપ જોવા મળી રહ્યો છે
સમાચાર એજન્સી એએનઆઈએ એક વીડિયો રજૂ કર્યો છે, જેમાં ગ્લેશિયરના તૂટ્યા બાદ જલ-પ્રવાહનો વિકરાળરુપ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેની ગામ પાસે ધોલીગંગામાં જલ પ્રવાહ વધી ગયો છે. વીડિયોમાં ધૌલીગંગામાં પૂરનાં ભયાવહ દૃશ્યો જોવા મળે છે. જાણવા મળી રહ્યું છે કે નદી કિનારે ઘણાં ઘરો નષ્ટ થઈ ગયા છે. અમુક લોકો ઘાયલ થયા હોવાનાં પણ સમાચાર મળી રહ્યા છે.
આઈટીબીપીનાં જવાનો ઘટના સ્થળે પહોંચવા રવાના
આ ઘટના સ્થળે બચાવ કાર્ય માટે ઘણાં આઈટીબીપીનાં જવાન નીકળી ગયા છે. હાલ ત્યાં સ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નથી થઈ રહી અને નુક્સાનનો પણ અંદાજ સામે નથી આવી રહ્યો. પણ જેવી રીતે આપદાની ખબર આવી રહી છે તે ખૂબ વિકરાળ બની શકે તેવી શક્યતા છે. જાણવા મળી રહ્યુ છે કે, પહાડી પર ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ડેમ પર પડ્યો. જેનાં લીધે જેમનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થવાને લીધે ડેમનું પાણી ઝડપથી અલકનંદા નદીમાં જઈ રહ્યુ છે. અલકનંદા નદીનો પ્રવાહ વધવાને લીધે કેન્દ્રિય જલ આયોગે પોતાની દરેક ચોકીઓને એલર્ટ પર રાખી છે. ઋષિકેશ તથા હરિદ્વારમાં 6થી 7 કલાકની અંદર આ પાણી પહોંચી શકે તેવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
150થી વધુ લોકો તણાયાની આશંકા
ઉલ્લેખનીય કે, જોશીમઠની આજુબાજુનો વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવે આ દરમિયાન કહ્યું છે કે ગ્લેશિયર ધસી પડવાની દુર્ઘટનામાં 100 થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. અગાઉ, સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ ઘટનામાં 10,000 થી વધુ લોકોની અસર થાય છે.
#WATCH | Water level in Dhauliganga river rises suddenly following avalanche near a power project at Raini village in Tapovan area of Chamoli district. #Uttarakhandpic.twitter.com/syiokujhns
PM મોદી તથા અમિત શાહ સ્થિત મુદ્દે કરી રહ્યા છે સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે વર્તમાન સ્થિતિ મુદ્દે જાણકારી મેળવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને રાહત અને બચાવ કાર્ય વિશે સંભવિત જાણકારી હાંસલ કરી હતી. તથા એરલિફ્ટ દ્વારા NDRFની ટીમ પણ રવાના કરવાના આદેશ આપ્યા છે.
રાહત કાર્ય પૂરજોશમાં
પ્રાથમિક માહિતી અનુસાર, આ હોનારતથી 10,000 લોકો પ્રભાવિત થયાં હોવાની પણ માહિતી મળી રહી છે. તેમાં એવા લોકો પણ છે જે નદીના કાંઠે રહેતા હતા. વળી, એવા મજૂરો પણ છે જે ડેમમાં કામ કરતા હતા. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ સ્થળ પર રવાના થઈ છે.
#WATCH | Water level in Dhauliganga river rises suddenly following avalanche near a power project at Raini village in Tapovan area of Chamoli district. #Uttarakhandpic.twitter.com/syiokujhns
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. રાજ્યના ચમોલીમાં ગ્લેશિયર તૂટી પડતા તબાહી મચી હતી. જિલ્લાના રેણી ગામ નજીક આ ગ્લેશિયર તૂટી પડ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થયાં છે, સ્થાનિક વહીવટી તંત્રને સમાચાર મળતા જ ઘટના સ્થળે રાહત કામગીરી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.
અસરગ્રસ્ત માટે જાહેર કરાયો હેલ્પલાઇન નંબર
ગ્લેશિયર તૂટવાના કારણે અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક પૂર આવ્યા બાદ સરકારે ગઢવાલ ક્ષેત્રમાં એલર્ટ જારી કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને મદદ માટે હેલ્પલાઈન નંબર પણ ખોલવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે અસરગ્રસ્તો હેલ્પલાઇન નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.