ભારતીય વાયુસેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર બંને વાયુસેનાના વડાઓએ સંયુક્ત કવાયત અને તાલીમ વધારવા અંગે ચર્ચા કરી છે. હ્યુમેનિટીને લગતા કાર્ય માટે સાથે કામ કરવા અંગે બંને પક્ષો વચ્ચે વિગતવાર ચર્ચા થઈ છે.
ભારત અને જાપાન કરી શકે છે સૈન્ય ભાગીદારી
ભારતીય વાયુસેનાએ જાહેર કર્યું નિવેદન
ભારતના વાયુસેના વડા જાપાની સમકક્ષને મળ્યા
ચીન સાથેના વિવાદની વચ્ચે, ભારત ના એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા એ તેમના જાપાની સમકક્ષ સહયોગ વધારવાની ચર્ચા કરી છે. જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ચીફ ઇઝુત્સુ શુનજી બુધવારે નવી દિલ્હીમાં આરકેએસ ભદૌરિયાને મળ્યા. બંને પક્ષો પર વિગતવાર ચર્ચા સાથે પરસ્પર વ્યૂહાત્મક સહયોગ વધારવાની સંમતિ આપવામાં આવી છે.
માલાબાર કવાયત પછી તરત થઈ છે મુલાકાત
જાપાની એરફોર્સ ચીફની મુલાકાત માલાબાર કવાયત પછી તરત થઈ છે. ભારત ઉપરાંત જાપાન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની નૌકાદળોએ આ કવાયતમાં ભાગ લીધો હતો. નોંધપાત્ર વાત એ છે કે ભારત અને જાપાન બંને ચીનના આક્રમક વલણનો સામનો કરી રહ્યા છે. ચીન તેના લગભગ દરેક પડોશીઓ સાથે સરહદ વિવાદ ધરાવે છે જેને લઈને તે ઘણું આક્રમક પણ છે.
ભારતીય વાયુસેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર બંને વાયુસેનાના વડાઓએ સંયુક્ત કવાયત અને તાલીમ વધારવા અંગે ચર્ચા કરી છે. માનવતાવાદી કાર્ય માટે સાથે કામ કરવા અંગે બંને પક્ષો વચ્ચે વિગતવાર ચર્ચા થઈ છે. જનરલ શુનજીની મુલાકાત દરમિયાન તેઓ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સીડીએસ બિપિનસિંહ રાવતને પણ મળશે.