મશહૂર લેખક અને સંગીતકાર જાવેદ અખ્તર ફરી વિવાદમાં આવ્યાં છે. તેમણે મહિલાઓને 1થી વધુ પતિઓ રાખવાના હકની તરફેણ કરી.
મશહૂર લેખક અને સંગીતકાર જાવેદ અખ્તર ફરી વિવાદમાં
મહિલાઓને 1થી વધુ પતિ રાખવાનો હક હોવો જોઈએ
તેમણે કહ્યું- પુરુષોને 1થી વધુ પત્નીઓ રાખવાનો હક છે તો મહિલાઓને શું વાંધો
જાણીતા લેખક જાવેદ અખ્તરના એક નિવેદન પર ફરી વિવાદ ઊભો થયો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે પુરુષોને એકથી વધુ પત્ની રાખવાનો અધિકાર હોય તો મહિલાઓને કેમ નહીં. તેમણે કહ્યું કે આ સમાનતાની વિરુદ્ધ છે.
મહિલાઓ અને પુરુષો વચ્ચે સમાનતા રાખવાની જરુર
યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે બોલતાં જાવેદ અખ્તરે કહ્યું કે વ્યક્તિને હૃદયમાંથી જે લાગણી થાય છે તે (કોમન સિવિલ કોડમાં) રહેવી જોઈએ." મારે એક દીકરી છે અને મારે એક દીકરો છે. મારી પાસે જે પણ સંપત્તિ છે, હું તે બંનેને બરાબર આપીશ... કોમન સિવિલ કોડનો અર્થ એ નથી કે તમામ સમુદાયો પાસે એક કાયદો હોવો જોઈએ, તેનો અર્થ એ છે કે મહિલાઓ અને પુરુષો માટે પણ કાયદો હોવો જોઈએ.
સૈફ અબ્બાસ નકવીએ અખ્તરની ટીપ્પણીનો વાંધો ઉઠાવ્યો
જાવેદ અખ્તરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સૈફ અબ્બાસ નકવીએ કહ્યું, "આ નિવેદન શરમજનક છે. એક નિવેદનમાં, મહિલાઓને બહુવિધ પતિ રાખવાની સલાહ આપવામાં આવી છે. તેનો ગમે તેટલો વિરોધ કરવામાં આવે તો પણ તે ઓછો જ હોય છે. ભારતમાં આવા કેટલાક લોકો મીડિયામાં ઉશ્કેરણીજનક નિવેદનો આપતા હોય છે, જેથી તેઓ મીડિયામાં છવાયેલા રહે. મને લાગે છે કે આપણા દેશની મહિલાઓએ આ નિવેદન સામે સખત વિરોધ કરવો જોઈએ.