અસમમાં આજે ગૃહમંત્રી અમિત શાહે તાબડતોબ ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
અમિત શાહે ઘૂસણખોરી બંધ કરી દેવાનો કર્યો વાયદો
અજમલને ઉખાડીને ફેંકી દઇશું : અમિત શાહ
પાંચ વર્ષમાં ડબલ એન્જિનની સરકારે કામ કર્યું : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે અજમલ દાવો કરે છે કે આગામી સરકારમાં તાળું અને ચાવી બંને તેમના હાથમાં રહેશે અને તે નક્કી કરશે કે આગામી સરકાર કોણ બનાવશે પણ તેમને કદાચ ખબર નથી કે સત્તાની ચાવી જનતાના હાથમાં છે. ઘૂસણખોરી મુદ્દે અમિત શાહે કહ્યું કે અમને પાંચ વર્ષ આપી દો, માણસ તો શું ચકલું પણ ઘૂસી નહીં શકે.
અજમલને ઉખાડીને ફેંકી દઇશું : શાહ
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ક્યારેય હિંસા અને આતંકવાદને સમાપ્ત કરવા માંગતી જ ન હતી. અમે ડબલ એન્જિનની સરકારના માધ્યમથી અસમને વિકાસના રસ્તા પર લઈ જવાનું કામ કર્યું છે. મોદીજીએ અસમના વિકાસ માટે ખૂબ બધા કામ કર્યા છે. બ્રહ્મપુત્ર નદી પર 6 પુલ બનાવવામાં આવ્યા છે અને તેલ ક્ષેત્રના વિકાસ માટે પણ 46 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અમિત શાહે હુંકાર ભરતા કહ્યું કે અજમલ કાન ખોલીને સાંભળી લે, અસમમાં ઘૂસણખોરોનો અડ્ડો નહીં બનવા દઈએ. તમને ઉખાડીને ફેંકી દેવાનું કામ ભાજપ કરશે.
વાયદા પૂરા કર્યા હોવાનો દાવો
અમિત શાહે કહ્યું કે વર્ષોથી અસમમાં આતંકવાદ થાય છે અને ગોળીઓ ચાલે છે. યુવાનો અને પોલીસકર્મીઓની મોત થઈ રહી હતી પણ કોંગ્રેસ કશું ન કરી શકી. કોંગ્રેસને બધાને લડાવવામાં આનંદ આવતો હતો. તમે પૂર્ણ બહુમતની સરકાર બનાવી અને પાંચ વર્ષમાં અમે અસમને આતંકવાદથી મુક્ત કરી દીધું.
હિંસાનો યુગ સમાપ્ત કર્યો : શાહ
અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષ પહેલા મેં આ જગ્યા પર જ કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો અમે રાજ્યને આતંકવાદથી મુક્ત કરી દઇશું. મેં વાયદો કર્યો હતો લે એક વિકસિત અસમ આપીશું. આજે બધા જ વાયદા પૂરા કરીને ભાજપ ફરીથી આશીર્વાદ માંગવા આવી છે. અમે કહ્યું હતું કે અસમમાં હિંસાનો યુગ સમાપ્ત કરીને શાંતિ સ્થાપિત કરીશું.