લોકોનું માનવુ છે કે વડીલોને અમુક ઉંમર બાદ ઓછી કેલરી લેવી પડે છે.
શારીરિક ગતિવિધિઓ ઘટવાના કારણે તેમને પહેલા કરતા ઓછી કેલરીની જરુર પડે છે, પરંતુ તે સાચુ નથી. તેમને તંદુરસ્ત રહેવા માટે સંતુલિત આહારની સાથે પર્યાપ્ત માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમની પણ જરુર પડે છે. શારીરિક પ્રવૃતિઓ ઘટવાના કારણે આ લોકોને રાત્રે સારી ઉંઘ પણ આવતી નથી. તેઓ દિવસભર સુસ્તી અને થાક અનુભવે છે. બપોરેપણ તેમને ઝપકી આવી જાય છે.
આ વસ્તુઓ વધુ આપો
દાળ, લીલા શાકભાજી, મોસમી ફળો, સુકા મેવા, દહીં અને છાશ વધુ આપો. રાત્રે સુવાના અડધા કલાક પહેલા દુધ પીવડાવો. ભોજનમાં કાર્બ્સ ડાયેટ સામેલ કરો જેનાથી ઉર્જા મળી શકે.
મોર્નિંગ વોક અને યોગ
વડીલો માટે નિયમિત 30 મિનિટ મોર્નિંગ વોક અને હળવો વ્યાયામ ખૂબ જ જરુરી છે. વિષ્ણાતોની સલાહથઈ યોગાસનો કરવા. ગાર્ડનિંગમા સમય વિતાવો. ઘરની વસ્તુઓની ખરીદી માટે બહાર નીકળો.
ગપશપ કરો અને બાળકો સાથે રમો
પરિવારના લોકો સાથે બેસીને વાતચીત કરવી ખુબ જરુરી છે. તેનાથી સ્ટ્રેસ દુર થાય છે. ગંભીર વાતો કરવાથી બચો. પોતાની શારિરીક ક્ષમતા અનુસાર બાળકો સાથે ઇન્ડોર ગેમ્સ રમો. સામાજિક કાર્યો કરો. પોતાની ઉંમરના લોકો સાથે મળીને ક્રિએટીવ કામ કરો.