કેન્દ્રએ રાજ્યોને કહ્યું રસીનો પહેલો ડોઝ લઈ ચૂકેલાના બીજા ડોઝની પ્રાથમિકતા આપવામાં આવે.
બીજા ડોઝની પ્રાથમિકતા આપવામાં આવે
રાજ્યોને આવનારા 3 દિવસમાં 7 લાખ ડોઝ આપવામાં આવશે
રસીકરણ કાર્યક્રમમાં કોવિશીલ્ડ અને કોવૈક્સિન અપાઈ રહી છે
બીજા ડોઝની પ્રાથમિકતા આપવામાં આવે
કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે જે લોકોને કોવિડની રસીનો પહેલો ડોઝ લાગી ચૂક્યો છે. તેમના બીજા ડોઝની પ્રાથમિકતા આપવામાં આવે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે જે લોકો બીજો ડોઝ લગાવવાની રાહ જોઈ રહ્યા છે તેવા લાભાર્થિઓને પ્રાથમિકતાના આધારે રસી લગાવવી જોઈએ. ભૂષણે આ સંબંધમાં રાજ્યોને કહ્યુ કેભારત સરકાર ચેનલથી તેમના આપવામાં આવનારા રસીમાંથી ઓછામાં ઓછા 70 ટકા રસીકરણ અને પહેલા ડોઝ માટે જાણ કરી શકે છે.
રાજ્યોને આવનારા 3 દિવસમાં 7 લાખ ડોઝ આપવામાં આવશે
કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે કોવિડ રસીકરણની પ્રક્રિયાની સમીક્ષા કરી. કેન્દ્રએ કહ્યું કે રાજ્યોને આવનારા 3 દિવસમાં 7 લાખ ડોઝ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની રસીના કુલ 17.26 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. મંત્રાલયના જણાવ્યાનુંસાર 1 મેથી 18 થી ઉપનાર માટે રસીકરણ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 25, 52, 843 લોકોને પહેલો ડોઝ લાગ ચૂક્યો છે. 25, 52, 843 લોકોમાં મહારાષ્ટ્રથી 5, 10,347 રાજસ્થાનથી 4,11,002, દિલ્હીથી 3,66,309, ગુજરાતથી 3,23,601 અને હરિયાણાથી 2,93,716, બિહારથી 1,77,885, ઉત્તર પ્રદેશથી 1,66,814 અને આસામથી 1, 06,538 લોકોને રસી લાગી ચૂકી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 17,26,33,761 રસીના ડોઝ લાગી ચૂક્યા છે.
રસીકરણ કાર્યક્રમમાં કોવિશીલ્ડ અને કોવૈક્સિન અપાઈ રહી છે
ભારતમાં 16 જાન્યુઆરીથી શરુ થયેલા રસીકરણ કાર્યક્રમમાં કોવિશીલ્ડ અને કોવૈક્સિન અપાઈ રહી છે. બીજી લહેરની માંગને કારણે હવે 1મેથી 18થી -44 વર્ષના લોકોને રસી આપવાનું શરુ કરવામાં આવ્યું છે. કોવિશીલ્ડનું ઉત્પાદન કરનારા પૂણાની કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાના જણાવ્યાનુંસારા જુલાઈ સુધી રસીની શોર્ટેજ રહી શકે છે. કેમ કે 6-7 કરોડ ડોઝ દર મહિને ઉત્પાદનને 10 કરોડ ડોઝ દર મહિને કરવામાં સમય લાગી શકે છે.