રાજ્યના કેબીનેટ મંત્રી ચૌહાણે સંકલ્પ કર્યો છે કે, બુકે નહી નોટબુક સ્વીકારશે. ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની ભાવનાથી અર્જુન સિંહ ચૌહાણે આ સંકલ્પ કર્યો છે
રાજ્યના કેબીનેટ મંત્રીનો અનોખો સેવાયજ્ઞ
શુભેચ્છામાં બૂકે નહિ,નોટ બુક્સ આપવા અપીલ
દોઢ મહિનામાં 27 હજાર નોટ બુક્સ થી છે એકત્રિત
રાજ્યની ભુપેન્દ્ર પટેલનાં વડપણ હેઠળની સરકારમાં ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે અનોખા સેવાયજ્ઞનો આરંભ કર્યો છે. આ સેવાયજ્ઞ એટલે નોટબુક્સ એકત્રિત કરવાનો. કેબીનેટ મંત્રી ચૌહાણે સંકલ્પ કર્યો છે કે, બુકે નહી નોટબુક સ્વીકારશે. ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની ભાવનાથી અર્જુન સિંહ ચૌહાણે આ સંકલ્પ કર્યો છે. છેલ્લા દોઢ મહિનામાં તેઓએ 27 હજાર નોટબુક્સ એકત્રિત કરી છે. કેબીનેટ મંત્રી અર્જુન સિંહે પોતાના સતાવાર કાર્યાલયમાં , બુકે નહી નોટબુક આપવાની અપીલ કરતા પોસ્ટર પણ મુક્યા છે..એકત્રિત થયેલી 27 હજાર નોટબુક્સને ગરીબ વિધાર્થીઓને સહાયમાં વિતરિત કરાશે
આનંદી બહેન પટેલ ફળ-ફળાદી ઈચ્છતા હતા
ઉતર પ્રદેશના રાજ્યપાલ પદે બિરાજિત આનંદી બહેન પટેલ,ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, તેઓએ પણ અનોખો સેવાયજ્ઞ આરંભ્યો હતો. તેઓએ પોતાના સન્માનમાં ફૂલના ગુલદસ્તા કે બૂકે નહિ પરંતુ ફળ-ફળાદીની ટોકરીનો નિયમ બનાવ્યો હતો. કૂપોષિત માતાઓ અને બાળકોને આ ફળ-ફળાદીનું વિતરણ થઇ શકે તે હેતુસર આનંદીબહેન પટેલે આ અનોખો સંકલ્પ કર્યો હતો.