વડોદરમાં મકરપુરા GIDC માં કંપનીમાં કામ કરતા કામદારનું મોત થયું છે. કંપનીમાં ઊંચાઈ પરથી નીચે પટકાતા કામદાર મહેશ પરમારનું મોત થયું હતું. આ ઘટના પોલીમેક પ્લાસ્ટ કંપનીમાં બની છે.
વડોદરામાં મકરપુરા GIDCમાં કંપનીમાં કામ કરતાં કામદારનું થયું મોત
પોલીમેક પ્લાસ્ટ કંપનીમાં બની ઘટના
મૃતકના પરિવારજનોએ 60 લાખના વળતરની કરી માંગ
પરિવારજનો મૃતકના પરિવાર માટે યોગ્ય વળતરની કરી રહ્યા છે માગ
વડોદરમાં મકરપુરા GIDC માં કંપનીમાં કામ કરતા કામદારનું મોત થયું છે. કંપનીમાં ઊંચાઈ પરથી નીચે પટકાતા કામદાર મહેશ પરમારનું મોત થયું હતું. આ ઘટના પોલીમેક પ્લાસ્ટ કંપનીમાં બની છે. ત્યારે કંપનીના સંચાલકોએ ઘટનાના 4 કલાક બાદ પણ પરિવારજનોને જાણ ન કરી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.
કલેક્ટર કચેરી બહાર મૃતકના પરિવારજનો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા
કામદાર મહેશ પરમારના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે મૃતકના પરિવારજનોએ કંપનીના સંચાલકો પર બેદરકારીથી મોતનો આક્ષેપ કર્યો હતો. ન્યાય માટે પરિવારજનો મૃતકના મૃતદેહને લઈને કલેક્ટર કચેરી પહોચ્યા હતા અને પરિવારજનો મૃતકના પરિવાર માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. પરિવારજનો દ્વારા 60 લાખના વળતરની માંગ કરી છે. મૃતકનો પરિવાર સરકાર અને કંપની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કલેક્ટર કચેરી બહાર લડેગે જિતેગેંના નારા સાથે સુત્રોચ્ચાર કરી કર્યા હતા.
કંપની દ્વારા વળતરની બાંહેધરી આપવામાં નહી આવે ત્યાં સુધી અમે હટીશું નહી
પોલીમેક પ્લાસ્ટ કંપનીમાં કામ કરતો કારીગર મહેશ પરમારનું પડી જતા મોત નિપજ્યું હતું. જે મામલે પરિવારજનો દ્વારા કંપની પાસે રૂ.60 લાખના વળતરની માંગણી કરી છે. ત્યારે મૃતકના પરિવાજનોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા જ્યાં સુધી વળતરની બાંહેધરી આપવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહને કલેક્ટર કચેરીએથી હટાવીશું નહી.