કોરોના કાળમા મૃતકનાંપરિવારને અપાતી સહાય વધારો. સરકાર દ્વારા ચુકવવામાં આવતી 50 હજારની સહાયને કોંગ્રેસ ધારાસભ્યોએ મજાક ગણાવી અને 4 લાખ રૂપિયા સહાય આપવા માટે કરી રજૂઆત
બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસનું આવેદન
કોરોના મૃતક સહાય 4 લાખ માટે માંગણી
કોંગી ધારાસભ્યોએ અપાતી સહાય મજાક ગણાવી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે લાંબા સમયથી રાજ્ય સરકાર પાસે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરીજનોને સહાય રૂપે ચાર લાખ રૂપિયા ચૂકવવા માગણી કરી હતી. આ માગણીને ફરીથી દોહરાવાઈ છે. મૃતક સહાય રૂપિયા 50 હજારથી વધારીને 4 લાખ સુધીની સહાય આપવા માટે કોંગ્રેસે બનાસકાંઠાના દાંતા માં મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
દેશભરમાં કોરોના મહામારીને કારણે 4 લાખથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને સહાયની જાહેરાત કરાઈ હતી . સરકાર દ્વારા ચુકવવામાં આવતી 50 હજારની સહાયને કોંગ્રેસ ધારાસભ્યોએ મજાક ગણાવી અને 4 લાખ રૂપિયા સહાય આપવા માટે રજૂઆત કરી હતી.ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બનાસકાંઠાના દાંતા ખાતે ધારાસભ્ય કાંતિ ખરાડી તેમજ કાર્યકરો સાથે કોવિડ ગાઈડ લાઈન મુજબ રેલી યોજી સહાય અંગે વિરોધ કર્યો હતો તેમજ મામલતદારને આવેદનપત્ર આપી કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને પૂરતી સહાય આપવા માંગ કરી હતી