આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) ના પ્રમુખ અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું છે કે, અર્થવ્યવસ્થાની જીડીપી (GDP)માં જો ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ની ભાગીદારીની વાત કરીએ તો આ ઘણી મહત્વપૂર્ણ છે. જો ભારતીય જીડીપીમાં ઘટાડો આવે છે તો તેની અસર આખી દુનિયાના આર્થિક વિકાસ પર પડશે. તેથી અમે ગ્લોબલ ગ્રોથના અનુમાનને પણ 0.1 ટકા ઘટાડી દીધો છે.
ભારતીય જીડીપીમાં ઘટાડાથી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર પડશે : ગીતા ગોપીનાથ
આઇએમએફના પ્રમુખે ગ્લોબલ ગ્રોથના અનુમાનને પણ 0.1 ટકા ઘટાડી દીધો
વર્ષ 2020માં ભારતના વિકાસ દરનું અનુમાન 4.8 ટકા કી દેવાયો
તેઓએ કહ્યું કે, તેનો કારણમાં મોટો ભાગ ભારતના ગ્રોથ રેટમાં ઘટાડો છે. તેઓએ કહ્યું કે, વર્ષ 2020માં ભારતના વિકાસ દરનું અનુમાન 4.8 ટકા કી દેવાયો છે. આ ત્રણ જ મહીનામાં 1.3 ટકાનો ઘટાડો છે, IMFએ આવતા ત્રણ વર્ષ માટે ભારતના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, દુનિયાભરમાં જે આર્થિક મંદીના આંકડા છે, તેમા મોટો ભાગ ભારતનો છે.
ગીતા ગોપીનાથે એક ટીવી ચેનલ એનડીટીવીની સાથેની વાતચીતમાં આમ કહ્યું છે. તેઓએ કહ્યું કે, ઘણા દેશોમાં સામાજિક ઘર્ષણની અસર પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ભારતમાં ચાલી રહેલા સીએએ (CAA) અને એનઆરસી (NRC) ના વિરોધમાં આંદોલન પર તેની કેટલી અસર થઇ રહી છે તેના પર કરાયેલા સવાલ પર તેઓએ જવાબ આપ્યો.
7 મહત્વપૂર્ણ વાત
જો આપ વર્ષ 2019ના પહેલા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર જુઓ તો જે અમે ગત વર્ષે ઓક્ટોબરમાં અનુમાન લગાવ્યું હતું તેનાથી પણ ઓછો છે અને જો તમે આ આંકડાઓને ધ્યાનમાં લો તો આપ ભારતની ક્રેડિટ ગ્રોથમાં કમજોરી જુઓ છો અને તેના હિસાબે જ અમારુ અનુમાન છે.
બિન બેંકિગ નાણાકીય સંસ્થાઓમાં તણાવ વચ્ચે ઘરેલૂ માંગમાં જોવા મળી રહેલા સતત ઘટાડાથી ભારતના વિકાસ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પણ કમજોરી છે. આ ઉપરાંત નાણાકીય ક્ષેત્રમાં પણ તણાવ છે. ખાત કરીને બિન બેંકિગ નાણાકીય સંસ્થાઓમાં.
આ ઉપરાંત ક્રેડિટ ગ્રોથ, બિઝનેસ સેન્ટિમેન્ટમાં પણ ઘટાડો જ્યાં લોકો કોઇપણ પ્રકારના જોખમ લેવાથી બચવાની કોશિશ કરી રહ્યા છે.
અર્થવ્યવસ્થામાં થોડી રાહત વર્ષ 2021થી જોવા મળી શકે છે. જ્યાં જીડીપી 6.5 ટકા સુધી જઇ શકે છે. જેમા નાણાકીય અને નાણાકીય ઉપાયોનું યોગદાન હશે તેની સાથે જ તેલની કિંમતોમાં ઘટાડો પણ પ્રમુખ કારણ હશે.
ઘણા દેશોમાં સામાજિક ઘર્ષણ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર કરી રહી છે. જેના કારણે સંસ્થાઓ અને સરકારી ઢાંચામાં પ્રતિનિધિત્વના પ્રત્યે વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે.
ભારતમાં તેની કેટલી અસર થઇ રહી છે, તેના પર એપ્રિલ મહીનામાં મૂલ્યાકંનમાં જાણી શકાશે.