જૂનાગઢમાં ગિરનારની પરીક્રમા શરૂ થવાને હજુ બે દિવસ બાકી છે. ત્યારે પરીક્રમના પ્રારંભ પહેલાં જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ભાવિકોનો ધસારો જોતા જ મધ્યરાત્રીથી જ દરવાજા ખોલવામાં આવ્યા. વન વિભાગ દ્વારા રૂપાયતન પાસેથી દરવાજા ખોલવામાં આવ્યા. ત્યારે આ 36 કી.મી.ની પરીક્રમા દરમિયાન ભાવિકો પુણ્યનું ભાથુ બાંધશે.
ઉલ્લેખનીય છે કે પરિક્રમા ને બે દિવસની વાર છે ત્યાં પરીક્રમાર્થીઓ જૂનાગઢ તરફ ટ્રેન ઉપર બેસી ને આવતા જોવા મળી રહ્યો છે. ભાવિકો જીવના જોખમે ટ્રેન ઉપર બેસીને પરિક્રમા કરવા આવી રહ્યા છે.
હાલ પરિક્રમા રૂટ ઉપર સતત માનવ મેહરામણ જોવા મળી રહયો છે. ત્યારે વહીવટી તંત્ર સજ્જ થયુ છે પરિક્રમા દરમિયાન કોઈ અનિચ્છીનીય બનાવ ના બને તેના માટે ત્રણ જિલ્લાની પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે.
36 કિલોમીટરની પરિક્રમા
ગીરનારની લીલી પરીક્રમા 36 km પગપાળા ચાલીને કરવામાં આવે છે. ત્યારે દેશભરમાંથી લાખોની સંખ્યા મા ભાવિકો જોડાય છે ગીરનાર ની લીલી છમ વનરાઇ વચ્ચે અને કુદરતી વાતવરણમા ભકિત સાથે પરિક્રમા કરવા પધારે છે જય ગીરનારીના નાદ સાથે સતત પરિક્રમા રૂટ ઉપર ભાવિકો નો ઘસારો જોવા મળી રહયો છે.