દ્વારકાના યુવાને હરિદ્વારમાં આપઘાત કરતા ચકચાર મચી છે. યુવતી સાથે ભાગી જનાર યુવકે ધર્મશાળામાંથી પડતુ મુકીને આપઘાત કર્યો છે. મૃતક યુવકના પરિવારજનો પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જોઇએ સમગ્ર ઘટના.
દ્વારકાનો યુવક સગીર સાથે ભાગી ગયો હતો. સગીર યુવતી સાથે ભાગીને યુવક હરિદ્વારમાં રોકાયો હતો. હરિદ્વારમાં પોલીસે યુવક-યુવતીને ઝડપી પાડ્યા હતા. ત્યારે ધર્મશાળાના ત્રીજા માળેથી પડતું મુકીને યુવકે આપઘાત કર્યો. મૃતક યુવકના પરિવારજનો પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ
દ્વારકામાથી એક 27 વર્ષીય યુવાન મુરુભા બુધાભા માણેકને એક સગીર મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થતાં હરિદ્વાર ભાગી ગયા બાદ પોલિસ મથકે યુવક વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસ તપાસમાં આ લોકો હરિદ્વાર આશ્રમમાં લોકેશન મળતા દ્વારકા પોલીસ અને સગીરા યુવતીના પરિવાર જનોને લઈ પોલિસ હરિદ્વાર પહોંચી હતી.
પોલિસ હરિદ્વાર પાહોચતાં તેઓ પકડાઈ ગયા બાદ ત્યાંથી ત્રીજા માળેથી યુવાને પોલીસની હાજરીમાં નીચે ઝંપલાવતા મુત્યું થયું હતું. યુવાનનો મૃતદેહ આજ વહેલી સવારે પોલીસ દ્વારા દ્વારકા લાવવામાં આવ્યો હતો. ત્યારે પરિવાર જનોએ મૃતદેહને સ્વીકાર્યો ન હતો અને દ્વારકા પોલીસ સ્ટેશની બહાર પરીવારજનો સહિત 500 જેટલા લોકો એકઠા થયા હતાં.
યુવકની માતા ખીરૂબેન બુધાભા માણેકે દ્વારકા પી.આઇને લેખિક અરજીમાં બે મુસ્લીમ અજાણ્યા શખ્સોની તથા પોલીસની બેદરકારીથી મારા પુત્રએ આત્મહત્યા કરેલ હોય તેઓ તમામ સામે મારી નાખવા માટે મજબુર કર્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કર્યા બાદ પુત્રની લાસ સ્વીકારવાનું જણાવ્યું હતું.