અમદાવાદના બાવળામાં જાહેરમાં એક યુવતી પર છરીથી હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર છરીથી હુમલો કર્યો અને તેની જાહેરમાં જ હત્યા કરી દીધી. ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી પણ ત્યાં હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી. ઘટનાની વિગત એવી છે કે, મિત્તલ નામની યુવતીના 26 તરીખે લગ્ન હતા. પણ એક તરફી પ્રેમમાં પાગલ કેતન વાઘેલાને આ વાત ગમી નહીં. મિત્તલ ગઈ સાંજે પોતાની બહેન સાથે લગ્નની ખરીદી માટે આવી હતી ત્યારે કેતન તેના બે મિત્રો સાથે બાઈક લઈને પહોંચ્યો હતો. બાદમાં કેતને અને તેના મિત્રોએ મિત્તલને જબરદસ્તી બાઈક પર બેસાડવાનો પ્રયાસ કર્યો. પણ મિત્તલે વિરોધ કરતા કેતને મિત્તલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને મિત્તલ પર છરીના ઘા ઝીંકીને ત્યાંથી ફરાર થયો. જે બાદ મિત્તલને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તો પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.