યુવતીએ ઘરેથી ભાગી પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં પતિ તેણે મૂકી અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. કોઈ રસ્તો ન સૂઝતા તેણે સાબરમતીમાં મોતની છલાંગ લગાવવાનું નક્કી કર્યું હતું.
આયેશા જેવી ઘટના બનતા અટકી
યુવતી આપઘાત કરે તે પહેલા બચાવી લેવાઈ
યુવતીએ ઘરેથી ભાગી પ્રેમલગ્ન કર્યા હતા
અમદાવાદની સાબરમતી નદી જિંદગીથી કંટાળી ચૂકેલા માટે મોતનો રસ્તો બની ગઈ છે અવાર નવાર સાબરમતીમાં આત્મહત્યા કરવાની ઘટનાઓ પોત પ્રકાશી રહી છે. ત્યારે આયેશા જેવી વધુ એક ઘટના બનતા અટકી છે. અમદાવાદમાં પતિથી કંટાળી યુવતી આપઘાત કરવા પહોંચી હતી. પીડિત યુવતી પણ અમદાવાદની આયેશા અને વડોદરાની નફિસાની જેમ પહેલા વીડિયો બનાવે છે અને અંતિમ પગલું ભરવાની વાત કહે છે.
યુવતીએ ઘરેથી ભાગી પ્રેમલગ્ન કર્યા હતા
યુવતીએ પતિ સામે આક્ષેપ કરતો વીડિયો બનાવ્યો હતો અને ગળે ડૂમો ભરેલા અવાજમાં કહી રહી હતી કે મૈ મારા પરિવારની વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ પણ પતિ અન્ય યુવતી સાથે રહેતો હતો. સદનસીબે આપઘાત કરવા જઇ રહેલી યુવતીને લોકોએ અટકાવી હતી. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 17, 2022
વીડિયોમાં પીડિતે શું કહ્યું?
મારું નામ ..... છે, અને હું સુસાઈડ કરવા માટે આવી છું. કારણ કે હું જેને લવ કરતી હતી તેમણે મારી સાથે દગો કર્યો, મારી સાથે લગ્ન કર્યા, 7 વર્ષથી મારી સાથે હતો. ત્યારબાદ મને છોડી દીધી, મારી સાથે મારપીટ કરીને મને મારા ઘરે મોકલી દીધી, ત્યારબાદ તે કોઇ બીજીને લઇને આવી ગ્યો, મેં તેને બહુ સારો સમજ્યો હતો, તેણે મને મોટામોટા વચન આપ્યા હતા, મેં મારા મા-બાપ વિરૂદ્ધ જઇને લગ્ન કર્યા હતા. કોઈ નહોતું માનતું તેમ છતા લગ્ન કર્યા હતા. હવે તે કોઈ બીજી છોકરી સાથે રહે છે, તેણે કદાચ લગ્ન પણ કરી લીધા છે. તેથી હવે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. મારાથી જે ભૂલ થઇ છે તેના માટે સોરી મમ્મી-પપ્પા, મને માફ કરી દેજો.
આઇશાની જેમ નફીસાએ પણ સાબરમતી રિવરફ્રન્ટથી ઝંપલાવ્યું હતું
થોડા મહિના અગાઉ વડોદરાની નફીસા પણ અમદાવાદની આઇશાની જેમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંતિમ વિડિયો બનાવી મોતને વ્હાલું કરી ચૂકી છે. ફરક એટલો છે કે નફીસા રિવરફ્રંટથી સાબરમતીમાં કૂદી હતી પણ ત્યાં તેને મોત ન મળ્યું. અંતે વડોદરા આવીને નફીસાએ ઘરમાં આપઘાત કરી લીધો હતો.