રામ રાખે તો કોણ ચાખે. આ કહાવત સુરતમાં સાચી પડી છે. શહેરમાં 12માં માળેથી એક તરૂણી પટકાઈ હતી. 12માં માળેથી પટકાયા બાદ પણ તરૂણીનો આબાદ બચાવ થયો હતો.13 એપ્રિલે બનેલી ઘટનાના CCTV સામે આવ્યા છે.મળતી માહિતી મુજબ કપડા સુકવતી વખતે પગ લપસતા તરૂણી 12માં માળેથી નીચે પટકાઈ હતી. નીચે પડતા છાપરાની આડશ આવી જતા તરૂણીનો આબાદ બચાવ થયો હતો. જોકે તરૂણીને હાથ, પગ અને કરોડરજ્જુમાં 18 ફેક્ચર આવ્યા છે.હાલમાં તરૂણીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.