રામમંદિર નિર્માણનિધિ એકત્ર કરવા ગયેલા RSSનાં કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો
છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
RSSનાં કાર્યકરો પર હુમલો
કુલ 20 લોકોની શોધખોળ
ગીર સોમનાથનું છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ચોક્કસ કોમનાં ટોળા દ્વારા RSSના 5 જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. રામમંદિર નિર્માણનિધિ એકત્ર કરવા ગયેલા RSSનાં કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરથી હુમલો કરતા તમામને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જણાવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી ચુસ્ત બન્દોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે 12 જેટલા શખ્સો અને અન્ય મળી કુલ 20 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગ સહિતની કલમો ઉમેરી તપાસ હાથ ધરવામાં આવી છે.