ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપ માટે ગીર-સોમનાથ જિલ્લામાંથી કોરોનાને લઇને દુઃખદ સમાચાર આવ્યાં છે. વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું છે.
વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રીનું કોરોનાથી નિધન
વિજયસિંહ પરમાર 10 દિવસથી હતા સરવાર હેઠળ
જૂનાગઢમાં સારવાર દરમિયાન થયુ નિધન
ભાજપ માટે સૌરાષ્ટ્રમાંથી દુઃખદ સમાચાર મળ્યાં છે. વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લા 10 દિવસથી જૂનાગઢ ખાતે સારવાર લઇ રહ્યાં હતા.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રીનું કોરોનાના કારણે નિધન થયું હતું. વિજયસિંહ પરમાર તાલુકા ભાજપના મહામંત્રી અને વ્યવસાયે વકીલ હતી. વિજયસિંહ પરમાર વેરાવળ તાલુકાના નવાપરા ગામના વતની હતા. વેરાવળ તાલુકામાં તેમની પકડ મજબૂત હતી. જ્યારે પોતે સેવાભાવી હોવાને લઇને તેઓની લોકોમાં ભારે લોકચાહના હતી.