21મી સદીમાં પહોંચી ગયા બાદ આજે પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ચાલી રહ્યાં છે. ત્યારે આ વાત છે એ જ ઉનાની જ્યાં દલિતો સાથે મારપીટનો અગાઉ પણ બનાવ બની ચૂક્યો છે. ત્યારે એક વાર ફરી વધુ એવી એક ઘટના સામે આવી છે.
21મી સદીમાં પહોંચી ગયા બાદ આજે પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ચાલી રહ્યાં છે. ત્યારે આ વાત છે એ જ ઉનાની જ્યાં દલિતો સાથે મારપીટનો અગાઉ પણ બનાવ બની ચૂક્યો છે. ત્યારે એક વાર ફરી વધુ એવી એક ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મીઓએ જ એક દલિત યુવાનને ઢોર માર માર્યો છે અને એટલી હદે તે યુવાનને માર માર્યો કે તે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
યુવાનનો વાંક માત્ર એટલો જ હતો કે તેના ભાઈની રિક્ષાનો અકસ્માત થયો હતો અને બાદમાં તેનો ભાઈ ક્લેઈમ માટે કાગળ લેવા માટે પોલીસ સ્ટેશનમાં ગયો હતો. જ્યાં કોન્સ્ટેબલ અજીતસિંહ અને જયરાજસિંહ ગોહિલે આ યુવકને બેફામ માર માર્યો હતો. પીડિતે એવો આક્ષેપ કર્યો છે કે તેને પહેલા માર માર્યો અને જ્યારે તેને પૂછ્યું કે મને કેમ મારો છો ત્યારે બહેનો-દીકરીઓને ભગાડી જવાના જે કેસ સામે આવ્યા છે તે મામલે રોષ રાખીને પોલીસે માર માર્યો.
બાદમાં તેને દારૂ પણ પીવડાવવામાં આવ્યો અને હોસ્પિટલમાં ક્યાંક ચેકઅપ પણ કરાવવામાં આવ્યું. પીડિતે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેને ધાકધમકી આપીને જામીન પર છોડી મુકવામાં આવ્યો. મારપીટની આ ઘટના દરમિયાન પોલીસે કોઈ પણ પ્રકારની સારવાર પણ ન કરાવી. જ્યારે પરિવારને આ મામલે જાણ કરવામાં આવી ત્યારે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં બન્ને પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને SCST સેલનાં DYSP બામણીયાને તપાસ સોંપવામાં આવી છે.