ગુજરાતનો વિકાસ ખાટલે ખોડાણો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથમાં હાલ પણ નદી પાર કરવા લોકો ખાટલાનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે વિકાસના મોડેલ ગુજરાતમાં ગામડાઓનો વિકાસ પાણીમાં વહી ગયો છે. નદી ઉપર પુલ ન હોવાને કારણે ઘણા ગામો સંપર્ક વિહોણા બની જાય છે એટલું જ નહીં પરંતુ લોકોને નદી ઓળંગવા માટે પરંપરાગત ખાટલાનો ઉપયોગ કરવો પડે છે.
ગીર સોમનાથના ઉનામાં જોવા મળ્યા વરવા દ્રશ્યો
ખજુદ્રા ગામમાં ગર્ભવતી મહિલાને ખાટલામાં બેસાડી નદી પાર કરાવી
ખજુદ્રા ગામની શાહી નદીમાં પુલ ના હોવાથી મુશ્કેલી
ગીર સોમનાથના ઉનામાં વરવા દ્રશ્યો જોવા મળ્યા. ઉનાના ખજુદ્રા ગામમાં ગર્ભવતી મહિલાને ખાટલામાં બેસાડી અને નદી પાર કરાવી પડી રહી છે. આધુનિક સમયમાં પણ નદી પાર કરવા માટે ખાટલાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ખજુદ્રા ગામમાં આવેલી શાહી નદીમાં પુલ ના હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.
દર વર્ષે ચોમાસામાં પાણીની આવક થતા નદીનું સ્તર વધે છે. જેના કારણે નદી પાર કરવી મુશ્કેલ થઇ જાય છે. ત્યારે લોકોની માગ છે કે શાહી ની પર પુલ બાંધવામાં આવે. ઉનાના ખજુદ્રા ગામના વરવા દ્રસ્યો જોતા સવાલ ઉઠી રહ્યાં છે કે ખજુદ્રા ગામના લોકોની સમસ્યા તંત્ર ક્યારે સમજશે? કેટલાય સમયથી સમસ્યા છતા નિરાકરણ કેમ નહી? વિગર્ભવતી મહિલાને કંઇ થઇ ગયું હોત?. શાહી નદી પર ક્યારે બંધાશે પુલ?
સળગતા સવાલ
ખજુદ્રા ગામના લોકોની સમસ્યા ક્યારે સમજશે તંત્ર?
કેટલાય સમયથી સમસ્યા છતા નિરાકરણ કેમ નહી?
ગર્ભવતી મહિલાને કંઇ થઇ ગયું હોત તો કોણ જવાબદાર હોત?
આધુનિકયુગમાં પણ ખાટલામાં બેસાડી નદી પાર કરાવી પડે તે કેટલુ યોગ્ય?