રાજ્યમાં હત્યાની ઘટનાઓ વારંવાર બની રહી છે. ત્યારે વધુ એક ઘટના ગીર-સોમનાથ જિલ્લાના રામપરામાં બની હતી. ખેતરમાં સૂતેલા આધેડ પતિ-પત્નીની કોઇ અજાણ્યા શખ્સે હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગીર-સોમનાથમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા
બોથડ પદાર્થના ઘા ઝીંકી કરાઇ હતા
સમગ્ર પંથકમાં ખળભળાટ
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત ખેતરમાં સૂતેલા આધેડ વયના પતિ-પત્ની પર કોઇ અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનાને સમાચાર વહેલી સવારે ગામમાં ફેલાતા લોકોના ટોળા વળ્યા હતા.
દંપતિની ઘાતકી હત્યા
આ ઘટના અંગેની જાણકારી નજીકના પોલીસ મથકે થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પ્રાથમિક જાણકારી મેળવતા મરનાર આધેડ પતિ-પત્નીનું નામ કોળી રામા સિદી ભાદરપકા અને લક્ષ્મીબેન હોવાનું ખુલ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
આ રીતે અચાનક દંપતિની ઘાતકી હત્યાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, પોલીસે લાશને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ મામલે ગીર-સોમનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.