ગીર-સોમનાથના ઘંટીયા ગામે મગર ઘુસી આવ્યો છે. મગર ઘુસી આવતા નાગરિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. મગરને જોવા માટે લોકોનાં ટોળા એકઠા થયા છે. વનવિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળે જવા રવાના થઇ છે.
આ મામલે મળતી વિગતો મુજબ ગત મોડીરાતે ગીર-સોમનાથ નજીક આવેલ ઘંટીયા ગામ ખાતે મગર ઘુસી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે. મગર ઘુસી આવતા ગ્રામજનોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મગર ગામમાં પ્રવેશ્યો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા.
#GirSomnath ના ઘંટીયા ગામે #Crocodile ઘુસી આવ્યો
મગર ઘુસી આવતા નાગરિકો દ્વારા વનવિભાગને જાણ કરી
મગરને જોવા લોકોનાં ટોળા એકઠા થયા
વનવિભાગ રેસ્ક્યુ કરવા ઘટના સ્થળે જવા રવાના pic.twitter.com/8IQeOsXMJL
આ મામલા અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મગરને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
જો કે એક કલાકથી વધારે સમયની મહેનત બાદ મગરને ઝડપી લેવામાં વન વિભાગને સફાળતા મળી હતી. આ મગરની લંબાઇ સાડા ત્રણથી ચાર ફુટ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.