જામનગર: ગીર સોમનાથમાં પાણીના પ્રશ્નને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. પાણીની પારાવાર સમસ્યાના વિરોધમાં 10થી વધુ ગામના ખેડૂતો માર્કેટિંગયાર્ડમાં એકઠા થયા અને રોષ વ્યક્ત કર્યો હતો. કેનાલનું પાણી અચાનક બંધ કરી દેવાતા આ ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો પાકને લઈને ચિંતિત હોઈ તેઓએ ચિમકી ઉચ્ચારી છે કે જો પાંચ દિવસમાં તેઓને પાણી નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પાણીની તંગી સર્જાઇ છે નર્મદા નદીમાં પણ પાણીની માત્રામાં ઘટાડો નોંધાવા પામ્યો છે ત્યારે આ બાબતે રાજ્ય સરકારે પણ ખેડૂતોને ઉનાળું પાક લેવાની ના પાડી છે ત્યારે આ બાબતે રાજ્યભરના ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી સાથે જ થોડા સમય પહેલા કરવામાં આવેલ વાવેતરને પણ નુકસાન પહોંચે તેવી પણ આશંકાઓ પણ સેવાઇ રહી હોવાથી આજરોજ ગીર સોમનાથના ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં એકત્રિત થઇને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ આજરોજ ગીર સોમનાથના ખેડૂતોએ એકઠા થઇને ચિમકી પણ ઉચ્ચારી હતી કે સરકાર આ બાબતે કોઇ ચોક્કસ નિરાકરણ નહીં લાવે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.આપને જણાવી દઇએ કે ચાલુ વર્ષે રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા પાણની વિકટ સ્થિતિ જોવા મળી છે.