ગીર સોમનાથ પંથકના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. જિલ્લાના ગામોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. બફારા બાદ ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. ખેડૂતમાં ખુશીની લહેર જોવા મળી હતી.
લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થઇ હતી. ગીર ગઢડા કોડીનાર અલીદર હરમડિયા સહિતના ગામોમાં વરસાદ થયો છે. 4MM જેટલો વરસાદ નોંધાયો છે. તમને જણાવી દઇએ કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં મેઘ રાજાએ વિરામ લિધો છે અને આ વર્ષે રાજ્યમાં પુરતો વરસાદ પણ થયો નથી.
પુરતો વરસાદ ન થવાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બે દિવસના બફારા બાદ ગીર સોમનાથ પંથકના ગામોમાં મેધ પધરામણી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.