જામનગર ,હાથરસ અને ચોટીલ બાદ ગીર સોમનાથમા દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટનામાં ભાજપના અગ્રણીઓના નામ ખુલ્યા છે. ગીર સોમનાથ 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો બનાવને કારણે ચકચાર મચી ગઈ છે.
ભાજપના અગ્રણી પ્રવિણસિંહ ઝાલા પર દુષ્કર્મનો આરોપ
ભાજપ અગ્રણી પ્રવિણ ઝાલા સહિત 4 લોકો સામે નોંધાઇ ફરીયાદ
સગીરાના મામા અને નાની સગીરાને સોંપતા હતા હવસખોરોને
હાથરસ ગેંગરેપના પડઘાથી આખો દેશ ગુંજી રહ્યો છે ત્યારે ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે.
ભાજપના અગ્રણી પ્રવિણસિંહ ઝાલા પર દુષ્કર્મનો આરોપ
ભાજપના અગ્રણી પ્રવિણસિંહ ઝાલા પર દુષ્કર્મનો આરોપ મુકાયો છે. ભાજપ અગ્રણી પ્રવિણ ઝાલા સહિત 4લોકો સામે ફરીયાદ નોંધાવમાં આવી છે.
સગીરાના મામા અને નાની સગીરાને સોંપતા હતા હવસખોરોને
સગીરાના પોતાના મામા અને નાની સગીરાને હવસખોરોને સોપતા હોવાનો કમકમાટી ભર્યો ખુલાસો પણ થયો છે. આ તમામ હકીકત ખુદ સગીરાએ કોડીનારના PIને જણાવી હતી જેને પગલે ચકચાર મચી ગઈ હતી.
જામનગર, ચોટીલા બાદ ગીર સોમનાથમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ: ભાજપ અગ્રણી પ્રવિણ ઝાલા સહિત 4 લોકો સામે નોંધાઇ ફરીયાદ, સગીરાએ કોડીનારના PIને જણાવી આપવીતી#Gujarat#Jamnagar@BJP4Gujarat