ગીરસોમનાના વેરાવળમાં એક દલિત યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ કરાયો છે.4 શખ્સ દ્વારા દલિત યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ કરાયો છે.ગત મોડી રાત્રે દલિત યુવાન કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે 4 શખ્સે કાર સળગાવી હતી.પરંતુ યુવક કારમાંથી બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો હતો.પરંતુ સામાન્ય દાઝી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો..
ઉલ્લેખનીય છે કે આ પહેલા પાટણ ખાતે એક દલિત અગ્રણીએ કેટલાક પ્રશ્નોને લઇને આત્મવિલોપન કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા મોડી રાત્રે સારવાર દરમ્યાન તેમનું અવસાન થતાં દલિત સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા.
આજરોજ બનેલ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અને કોઇ અઘટિત બનાવ ના બને તે માટે વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી.જો કે આ ઘટના સાથે જોડાયેલ લોકોને ઝડપી પાડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હોવાની વાત ધ્યાને આવી હતી.