પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો માદરે વતન પહોંચ્યા છે.વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
ભારતીય માછીમારો વતન પહોંચ્યા
પાકિસ્તાની જેલમાં હતા બંધ
સ્વજનો સાથે મળતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા
ભારતીય માછીમારો વતન પહોંચ્યા
સમુદ્રની જળ સીમા પર માછીમારી માટે જતા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી અવારનવાર જેલમાં ધકેલી દેવામાં આવે છે.ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં પાકિસ્તાન સરકાર દ્વારા 20 જેટલા માછીમારોને મુક્ત કરાયા છે. જેઓ ફિશરીઝ વિભાગ દ્વારા વાઘા બોર્ડરથી કબજો સંભાળી વેરાવળ ખાતે લવાયા.જે માદરે વતન પહોંચતા પરિવારજનો સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં.
પાકિસ્તાન દ્વારા અવારનવાર માછીમારોનું થાય છે અપહરણ
ફિશરીઝ વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ 580 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. મુક્ત કરાયેલ માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા વેરાવળ ખાતે લાવવામાં આવેલ અને તેમના પરિવારજનોને કબજો સોંપવામાં આવ્યો છે.