ગીર-સોમનાથ: ગીર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.વરસાદ ન આવતા મગફળીના પાકમાં સુકારો નામનો રોગ આવી ગયો છે. જેથી ખેડૂતોનો મગફળી પાક સુકાઈ ગયો છે. મગફળીના પાકને હાલના સમયમાં ખાસ પાણીની જરૂર છે પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા મગફળીનો પાક કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લો હજુ કોરો ધાકડ છે. ખેડૂતોએ કોરડાની મગફળીનું વાવેતર નાખ્યું છે પણ અમી છાંટણા ન થતાં જે મગફળી ઉગી નીકળી છે તેમાં સુકારો નામનો રોગ આવ્યો છે અને મગફળી એકાએક સુકાવા લાગી છે. રોગને લઈને અંબુજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે ખેતરોની મુલાકાત લીધી હતી.
જયાં અધિકારીએ કહ્યું હતું કે વરસાદ ખેંચાવાના કારણે મગફળીને પાણી મળ્યું નથી. જેથી જમીનની હૂંફના કારણે વાતાવરણ મગફળીને માફક આવ્યું નથી. જેના કારણે સુકારો નામનો રોગ જોવા મળી રહ્યો છે. આ રોગને કોલરોટ ઉકસુંક તલકીડી નામનથી ઓળખાઈ છે.
આપને જણાવી દઇએ કે આ રોગને કોલરોટ નામનો એટલે કે ઉકસુંક અને તલકીડી નામથી ઓળખાઈ છે. જેમાં પિયતની સગવડ હોઈ તો ખુબ પાણી મગફળીને આપવું. જો વરસાદ સારો થાય તો પણ નિયંત્રણ થઇ જાય જો તેવું ન થાય તો કોપર ઓક્જી ક્લોરાઇડ નામની ફૂગ નાશક દવા 500 લીટર પાણીમાં 100 ગ્રામ દવા ઉમેરી છટકાવ કરવો જોઈએ.