ગીર-સોમનાથ: ગીરના દલખાણીયામાં 23 સિંહોના મોત બાદ હવે વનવિભાગ દ્વારા બીજા તબક્કાની તપાસ શરૂ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા ખાંભા પંથકના 9 સિંહનુ રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મૃતર સિંહમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
પીપળવામાંથી સિંહ અને સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભાણીયામાંથી 2 સિંહણ 1 બાળસિંહ કોદીયામાંથી 2 સિંહણ અને ધૂંધવાણામાંથી 2 સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા છે. વનવિભાગે સિંહોના સેમ્પલ લઈને પુના અને ગાંધીનગરની લેબમાં મોકલ્યા છે.
તો આ તરફ એશિયાટીક સિંહોનું અભ્યારણ્ય ગીરમાં ગેરકાયદે ધમધમતી હોટલો ફાર્મ હાઉસો અને રિસોર્ટસ પર પોલીસ વન વિભાગ અને કલેક્ટરે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. આ સંયુક્ત કામગીરીમાં ગેરકાયદે ધમધમતા 11 આવા વ્યવસાયોને સીલ મારવામાં આવ્યું.
ગીરમાં 23 સિંહોના મોત બાદ સરકાર વધુ કડક બની અને દિવાળી પહેલા જ તવાઈ બોલાવવામાં આવી છે. આ સંયુક્ત ઓપરેશન ગીર આસપાસના ચિત્રોડા બોરવાવ ધાવા સહિતના વિસ્તારોમાં હાથ ધરાયુ. અગાઉ તંત્ર દ્વારા મારવામાં આવેલા સીલો પણનું પણ ચેકિંગ હાથ ધરાયું.