રાજ્યસભામાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા એશિયાટિક સિંહનો મદ્દો ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે સિંહોના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવતાં કહ્યું કે રેડિયો કોલર કરવાથી સિંહોના મૃત્યુદરમાં વધારો થયો છે. આમ રાજ્યસભામાં રેડિયો કોલરથી સિંહોના મૃત્યુ થવાનો મામલા ઉઠાવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને સિંહોના રેડિયો કોલર હટાવવાની કામગીરી શરૂ કરી છે.
રેડિયો કોલરથી સિંહોના મૃત્યુનો મામલો રાજ્યસભામાં ઉઠ્યો છે. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે રેડિયો કોલરથી સિંહોના મૃત્યુ થવાનો મામલો ઉઠાવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઇને વન વિભાગે સિંહોના રેડિયો કોલર હટાવાની કામગીરી શરૂ કરી છે.
વન વિભાગ હવે કરોડોના ખર્ચે લગાવેલા 89 સિંહોના રેડિયો કોલર હટાવી દેશે. સિંહના નિરીક્ષણ માટે કરોડોના ખર્ચે રેડિયો કોલર લવાયા હતા. એક રેડિયો કોલરની અંદાજિત કિંમત 7 લાખ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે ગીરના સાવજો પર નિરીક્ષણ અને સંશોધન માટે સરકાર દ્વારા એક વર્ષ પહેલા અંદાજે 89 સિંહોને રેડિયો કોલર લગાવામાં આવ્યાં હતા. જો કે હવે આ તમામ રેડિયો કોલર હટાવી દેવામાં આવશે. હાલમાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં રેડિયો કોલર સિંહોમાં મૃત્યુદર ઉંચો હોવાને અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.